હાથની રેખાઓથી માણસના ભવિષ્ય અને સ્વભાવની જાણકારી મળે છે. રેખાઓ સિવાય હાથમાં બનેલી આકૃતિઓ, નિશાન, તલ વગેરે પણ ભવિષ્યને જાણવામાં ખૂબ મદદ કરે છે. હાથમાં બનેલી એક આવી ખાસ આકૃતિ છે, Hની આકૃતિ. આ આકૃતિના હાથમાં ખાસ અર્થ નિકળે છે.
હાથની રેખાથી માણસના ભવિષ્ય-સ્વભાવની મળે છે જાણકારી
હથેળીની વચ્ચે બને આ આકૃતિ તો ખુલી જાય છે ભાગ્ય
40 વર્ષ બાદ સફળતાના શિખરો કરે છે પ્રાપ્ત
40ની ઉંમર બાદ બદલાય છે જીવન
હસ્તરેખા શાસ્ત્ર મુજબ જે લોકોની હથેળીમાં 'H'ની આકૃતિ બને છે, એવા લોકો ખૂબ લકી હોય છે. તે તેના જીવનમાં ઉંચા મુકામ પ્રાપ્ત કરે છે. જો કે, તેના માટે તેમણે 40 વર્ષની ઉંમર સુધી રાહ જોવી પડશે. તેમણે તેમના જીવનમાં સફળતા આવશ્ય મળે છે, પરંતુ 40ની ઉંમર પછી મળે છે. પરંતુ આ સફળતા એટલી મોટી હોય છે કે આખુ જીવન બદલાઈ જાય છે.
અચાનક બની જાય છે ધનવાન
હાથમાં H આકૃતિવાળા લોકો 40ની ઉંમર પહેલા ભલે ગમે તેટલી મહેનત કરે પરંતુ તેનુ ફળ ઓછુ મળે છે. જ્યારે 40ની ઉંમર પછી ઝડપથી પ્રગતિ કરે છે. આવા માણસો અચાનક ધનવાન બની જાય છે અને લક્ઝુરિયસ જીવન જીવે છે. આવા માણસો ધન-સંપત્તિના માલિક બની જાય છે.
થાય છે વિશ્વાસઘાત
હથેળીની વચ્ચે 'H' આકૃતિ બનવી એક વધુ મહત્વનો સંકેત આપે છે. આ સંકેત જાતકના વ્યવહાર સાથે જોડાયેલો છે. હસ્તરેખા મુજબ આ નિશાનવાળા જાતક દિલના સ્પષ્ટ અને ઉદાર હોય છે. તેઓ તેની ઉદારતાના કારણે ઘણી વખત છેતરપિંડીના શિકાર બને છે. તેઓ ખૂબ પોઝિટિવ હોય છે અને દરેક પડકારોનો સામનો કરે છે.