હથેળીમાં બનતી રેખાઓ વ્યક્તિના ભાગ્ય અને આવનાર સમય વિશે જણાવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં બનેલી રેખાઓનો સંબંધ જીવનની ઘટનાઓ સાથે છે.
આ રેખાઓ જણાવે છે વ્યક્તિના ભાગ્ય વિશે
આ રેખાઓ જણાવે છે વિદેશ યોગ વિશે
જાણો કયા વ્યક્તિઓ હોય છે ધનવાન
હસ્તરેખા શાસ્ત્ર (Palmistry) વ્યક્તિના ભાગ્યની સાથે સાથે આવનાર સમય વિશે પણ જણાવે છે. હથેળીની ભાગ્ય રેખાથી ભાગ્યની જાણકારી મળે છે. જીવન રેખાથી ઉંમર વિશે જાણકારી મળે છે. મસ્તિષ્ક રેખાથી કોઈ કેટલું તેજ છે, તેની જાણકારી મળે છે. આજ પ્રકારે હથેળીની અમુક ખાસ રેખાઓથી વિદેશ યાત્રા વિશે જાણકારી મળે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જાણીએ કે હથેળીની કઈ કઈ રેખાઓ વિદેશ યાત્રા વિશે જણાવે છે.
આ રેખાઓ જણાવે છે વિદેશ યાત્રાઓ વિશે
જો હથેળીમાં જીવન રેખા (Life Line) અને ભાગ્ય રેખાને (Fate Line) ક્રોસ કરે તો વિદેશ યાત્રાનો યોગ બને છે. સાથે જ ચંદ્ર પર્વત (Moon Mountain) પર જોવા મળતી આડી-તિરછી રેખાઓ પણ વિદેશ જવાના ચાન્સ બનાવે છે.
જો ટ્રાવેલ લાઈન ઘાટી અને સ્પષ્ટ છે તો તેનો મતલબ છે કે એવા મનુષ્ય વિદેશમાં સ્થાઈ રીતે નિવાસ કરી શકે છે. સાથે જ એવા લોકોને વિદેશમાં પૈસા કમાવવાના અવસર મળે છે. હથેળીમાં લાઈફ લાઈનથી નિકળીને કોઈ રેખા ભાગ્ય રેખાને ક્રોસ કરતા ચંદ્ર પર્વત પર જાય તો મનુષ્ય વિદેશ યાત્રા કરે છે.
મળે છે વિદેશ યાત્રાનું સુખ
બુધ પર્વતથી નિકળીની કોઈ રેખા રિંગ ફિંગર સુધી જાય છે તો મનુષ્યને વિદેશ યાત્રાનું સુખ મળે છે. જો કોઈ રેખા ચંદ્ર પર્વતથી નિકળીને શનિ પર્વત સુધી જાય છે તો વિદેશ યાત્રાથી સાથે સાથે ધન લાભ પણ થાય છે. જો હથેળીમાં ટ્રાવેલ લાઈન લાઈફ લાઈનથી વધારે ઉંડી અને જાડી છે તો વ્યક્તિ વિદેશ જઈને વસી જાય છે.
આ ઉપરાંત જો હથેળીમાં ચંદ્ર પર્વતની પાસે ત્રિભુજનું ચિન્હ બને છે તો વ્યક્તિ અલગ અલગ દેશોમાં યાત્રા કરે છે. ત્યાં જ જો હથેળીમાં મણિબંધથી જતા કોઈ રેખા મંગળ પર્વત પર જાય છે તો સમુદ્રના રસ્તે વિદેશ યાત્રાનો યોગ બને છે.