બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : વધુ એક જૈન સાધુએ મર્યાદા વટાવી, સાધ્વી સાથે 'મોટો કાંડ' સામે આવ્યો, આગેવાનોના મોટા આરોપ
Last Updated: 10:03 PM, 13 April 2025
સુરતમાં જૈન સાધુને દુષ્કર્મ કેસમાં થયેલી સજાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો હવે પાલિતાણામાં પણ એક જૈન સાધુ પર ગંભીર આરોપ લાગ્યાં છે. જૈન સમુદાયના આગેવાનોનો આરોપ છે કે મુનિ સાગરચંદ્ર સાગરે સાધુવાદ નું અપમાન કર્યું છે અને તેમણે એક સાધ્વી સાથે સંબંધ છે. 2024 માં જૈન સાધ્વી સાથેની વિડિયો કોલ ની વિગતો અને સ્ક્રીન શોટ સામે આવ્યા છે જેમાં સાધુ અને સાધ્વી બંને એ મર્યાદા વટાવી દીધી છે અને તેમના ફોટો વાયરલ થયા છે.
ADVERTISEMENT
આરોપના બચાવમાં શું બોલ્યાં સાગરચંદ્ર સાગર
ADVERTISEMENT
આરોપ પર જવાબ આપતાં મુનિ સાગરચંદ્ર સાગરે એવું કહ્યું કે આ ફોટા ખોટા છે પરંતુ તેમનું આ જુઠાણું પકડાઈ ગયું. કારણ કે જૈન સમાજના લોકોએ ગુજરાત એફએસએલમાં નો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં FSL દ્વારા ફોટા ફેક નથી પણ સાચા હોવાનું સામે આવ્યું છે.
જૈન સમાજે શું માગ કરી
જૈન સમાજ માગ છે કે સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી ઉપરાંત જૈન મુનિએ મુંબઈમાં પાર્શ્વપુરમમાં પ્લોટ લીધો છે અને પાલિતાણાના જંબુ દ્વીપમાં છુપાઈને બેઠા છે ત્યારે સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કરી છે, આ ઉપરાંત પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ગત મહિને અરજી દાખલ કરીને જૈન મુનિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.