બાજરીના વાવેતરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું
ભાવનગરના પાલિતાણાના એક ખેડૂતના બાજરીના વાવેતરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે તમને થશે કે બાજરીના વાવેતરને કેમ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું ? એ તો દરેક ખેડૂત વાવણી કરતો હોય છે. જોકે આ ખેડૂતે જે પેટર્નથી બાજરીનું વાવેતર કર્યું તેને લઈ ખેડૂતના વાવેતરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
બાજરીના વાવેતરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
વાત જાણે એમ છે કે, ભાવનગરના પાલીતાણાના ઘેટી ગામના ખેડૂતે મોરારીબાપુની કથામાંથી પ્રેરણા લઇને બાજરીનું વાવેતર કર્યું છે. દરેક ખેડૂતની જેમ આ ખેડૂતે પણ સામાન્ય બાજરીનું જ વાવેતર કર્યું હતું પરંતુ તેને જે પેટર્નથી વાવેતર કર્યું તેના હાલ સમગ્ર પંથક, રાજ્ય અને દેશમાં વખાણ થઈ રહ્યા છે. આ સાથે બાજરીના આ પેટર્નના વાવેતરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
મોરારીબાપુની કથામાંથી પ્રેરણા લઇને બાજરીનું વાવેતર કર્યું
પાલીતાણાના ઘેટી ગામના ખેડૂત મુકેશ ચાવડાએ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પોતાની વાડીમાં ચાલુ વર્ષે મોરારીબાપુની કથામાંથી પ્રેરણા લઇને બાજરીનું વાવેતર કર્યું છે. આ વાવેતર મોરારીબાપુના જાણીતા શબ્દ સત્ય, પ્રેમ અને કરૂણાના લખાણા પેટર્નમાં કર્યું છે. જેથી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ખેડૂતને સ્થાન આપવામાં આવ્યું છે.
આકાશી નજારામાં દેખાય છે સત્ય, પ્રેમ, કરુણા
પાલીતાણાના ઘેટી ગામના ખેડૂત મુકેશ ચાવડાએ પોતાની વાડીમા બાજરીનું વાવેતર કર્યા બાદ તેનો આકાશી નજારો જોવા જેવો છે. મોરારી બાપુની કથામાંથી પ્રેરણા લઈ કરેલ વાવેતરમાં અંગ્રેજીનમ સત્ય, પ્રેમ, કરૂણા લખેલું દેખાય છે. જેને લઈ હવે આ વાવેતરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે બાદમાં ખેડૂતે મોરારીબાપુ સાથે મુલાકાત પણ કરી હતી.