મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓ સહિત 3 લોકોને માર મારીને મારી નાંખવાનો મામલાને લઇને ગુસ્સો ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે 17 એપ્રિલના રોજ અફવાને કારણે મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળા દ્વારા ત્રણ લોકોને માર મારીને મારી નાંખવામાં આવ્યાં હતા. ટોળાને પીડિતો ચોર હોવાની શંકા હતી.
યોગી આદિત્યનાથની દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ટવિટ પરથી લખ્યું હતું કે પાલઘર, મહારાષ્ટ્રમાં થયેલી જૂના અખાડાના સંતો સ્વામી કલ્પવૃક્ષ ગિરિ, સ્વામી સુશીલ ગિરિ અને તેમના ડ્રાઇવર નીલેશ તેલગડેની હત્યાના સંબંધમાં ગઇકાલે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ અંગે વાતચીત કરી હતી અને આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પોલીસકર્મીઓ સામે સાધુઓની હત્યા
યુપીના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ મામલે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને બાકી રહેલાલોકો વિરુદ્ધ કડક કાર્યાવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાલઘરના ગડચિનચલે ગામમાં બે સાધુઓની મારમારી હત્યા કરી નાંખવામાં આવી હતી. જો કે આ સંપૂર્ણ ઘટના દરમિયાન ઉપસ્થિતિ લોકોમાં કેટલાંક પોલીસકર્મીઓ પણ સામે આવ્યાં છે.
110 લોકોની ધરપકડ કરવામાં આવી
આરોપીએ સાધુઓ સાથે એક ડ્રાઇવર અને પોલીસકર્મી પર પણ હુમલો કર્યો. આ હુમલા બાદ સાધુઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં. પોલીસે આ મામલે 110 લોકોની ધરપકડ કરી છે.
पालघर,महाराष्ट्र में हुई जूना अखाड़ा के सन्तों स्वामी कल्पवृक्ष गिरि जी, स्वामी सुशील गिरि जी व उनके ड्राइवर नीलेश तेलगड़े जी की हत्या के सम्बन्ध में कल शाम महाराष्ट्र के मुख्यमंत्री श्री उद्धव ठाकरे जी से बात की और घटना के जिम्मेदार तत्वों के खिलाफ कठोर कार्रवाई हेतु आग्रह किया।
ત્રણેય મૃતક અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા કાંદિવલીથી સુરત જઇ રહ્યાં હતા. તેઓએ એક વાન ભાડે કરી હતી. લોકડાઉન વચ્ચે 120 કિમી પસાર કરી દીધો હતો. ગડચિનચલેની પાસે વન વિભાગના અધિકારીએ તેઓને રોક્યા હતા. સાધુઓની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.