પેલેસ્ટાઇને મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) 150મી જયંતી પર 'ગાંધીજીની વિરાસત અને મુલ્યો'ના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી છે. પેલેસ્ટાઇન ઓથોરિટી (PA) ના દૂરસંચાર મંત્રી ઇસહાક સેદેરે અહીં મંત્રાલયમાં આયોજીત એક સમારોહમાં પીએમાં ભારતના પ્રતિનિધિ સુનીલ કુમારની હાજરીમાં આ ટિકિટ જાહેર કરી.
પેલેસ્ટાઇને મહાત્મા ગાંધીના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી
ગાંધીજીના 'વિરાસત અને મૂલ્યોએ માનવતાને માર્ગ બતાવવાનું કામ કર્યું: પેલેસ્ટાઇનના મંત્રી સેદેર
રામલ્લામાં ભારતીય મિશન દ્વારા ગાંધીજીની જન્મજયંતી પર વિવિધ કાર્યક્રમોનું આયોજન
સેદેરે કહ્યું કે ગાંધીજીની યાદમાં ટપાલ ટિકિટ જાહેર કરાઇ છે, જેમની વિરાસત અને મૂલ્યોએ માનવતાને માર્ગ બતાવવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે.
જ્યારે સુનીલ કુમારે કહ્યું કે 'રાષ્ટ્રપિતા' ને સન્માનિત કરવાનું આ પગલુ ભારત અને પેલેસ્ટાઇનની વચ્ચે મજબૂત ઐતિહાસિક, રાજનીતિક અને સાંસ્કૃત્તિક સંબંધ બતાવે છે. રામલ્લામાં ભારતીય મિશને ગાંધીજીની 150મી જયંતી પર ઉત્સવ મનાવવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.