રાજ્યમાં ચોર અને તસ્કરો એટલા બેફામ થઈ ગયા છે કે બેખોફ ચોરીને અંજામ આપે છે. ત્યારે તસ્કરો મંદિરોને પણ નથી છોડતા. ત્યારે હનુમાનજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.
વડોદરાના ડભોઈના પલાસવાડામાં આવેલા હનુમાન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ મંદિરમાંથી સોના ચાંદીનો મુગટ સહિતના દાગીનાની ચોરી કરી હતી. ચોરી કરવા માટે મંદિરમાં અંદર પ્રવેશ કરતા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.
CCTVમાં બે તસ્કરો કેદ થયા છે. જેઓ મંદિરનું તાળું તોડીને અંદર પ્રવેશ કરતા નજરે પડે છે. ત્યાર બાદ તેમણે હનુમાનજીના મંદિરમાંથી સોના ચાંદીનો મુગટ સહિતના દાગીનાની ચોરી કરી હતી.
મહત્વનુ છે કે, હનુમાન મંદિર મામલતદારના વહીવટથી ચાલે છે. મંદિરમાં ચોરી થતા અનેક સવાલ થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે CCTVના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.