બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લાનું મોટું બસસ્ટેન્ડ આવેલું છે ત્યાં રોજના હજારો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે આવતા હોય છે તે ઉપરાંત ગુજરાત સિવાય રાજસ્થાનની પણ અનેક બસો અહીં આવે છે અને મોટા પ્રમાણમાં ગુજરાત સિવાય રાજસ્થાનના પ્રવાસીઓ બસની રાહ જોતા બસસ્ટેન્ડમાં બેસી રહેતા હોય છે.
પરંતુ હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાલનપુરમાં બસસ્ટેન્ડમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. બસસ્ટેન્ડમાં એક પાણીનો બોર છે અને તેમાં પણ પીવાલાયક પાણી ન આવતા મુસાફરો પાણી પીતા નથી અને તેમને બહારથી પાણી લાવવું પડે છે તો કેટલાક અજાણ મુસાફરો ન છૂટકે આવું ખરાબ પાણી પીવે છે.જો કે તંત્ર તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે બસ સ્ટેન્ડમાં પાણીની પૂરતી વ્યવસ્થા છે.
ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળો અંતિમ ચરણમાં છે તેમ છતા કાળઝાળ છે ત્યારે માણસ અને પશુપક્ષી પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરના બસસ્ટેન્ડમાં પીવાના પાણીની તંગી સામે આવી હતી. ભર ઉનાળે આ સ્થિતી જોવા મળતા તંત્ર આ અંગ તાત્કાલિક અસરથી કોઇ પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.