જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવામાં આવી છે. જેને પગલે કાશ્મીરમાં કોઇ પ્રકારનો વિરોધ પ્રદર્શન ન થાય અને કોઇ સમસ્યા સામે ના આવે તેના માટે સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. તો અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. જેથી ભારતીય સેના એલર્ટ કરી દેવાઇ છે.
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્દ્રશાસિત પ્રદેશ બનાવી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કલમ 370 હટાવી દેતાં અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. જેથી ભારતીય સેના એલર્ટ કરી દેવાઇ છે.
370ની કલમ હટાવતાં પાક સેનામાં હલચલ જોવા મળી છે, જેને લઇ કચ્છ બોર્ડર ક્ષેત્રે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. જેથી સરહદે સુરક્ષા જાપ્તામાં સઘન વધારો કરાયો છે અને ભારતીય સેનાને એલર્ટ કરી દેવાઇ છે.
બાલાકોટ ઍરસ્ટ્રાઇ બાદ પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર પોતાની મરીન સિક્યુરિટીના જવાનોની તૈનાતી કરી દીધી હતી. થોડા સમય પહેલાંજ અહીથી મરીન કમાન્ડોને હટાવી અન્ય ફોર્સના જવાનોની તૈનાતી કરાઇ હતી. જ્યારે ભારત સરકારના કાશ્મીર અંગેના નિર્ણય બાદ ફરી મરીન બટાલિયનને ખડકી દેવાઇ છે.
મળતી માહિતી મુજબ, રવીવારે પાકિસ્તાનમાં તમામ સુરક્ષા એજન્સીઓની આપાતકાલિન બેઠક બોલાવાઇ હતી. જેમાં સુરક્ષા બાબતે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ સોમવાર સવારથી કચ્છની સામેપાર પાક મરીન સિક્યુરિટી સહિત અન્ય સ્થાનિક સુરક્ષા એજન્સીઓના વાહનોની અવરજવર સાથે મરીન કમાન્ડોની તૈનાતીનો ધમધમાટ જોવા મળ્યો હતો. તો પાકમાં થઇ રહેલી હિલચાલ ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાજનજર રાખી અટપટ્ટા નાલાઓમાં પેટ્રોલિંગ બોટ સહિતના માધ્યમથી રાઉન્ડ ધી પેટ્રોલિંગને વધુ સઘન બનાવી દેવાયું છે.