જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 જોગવાઇઓને હટાવતા ભારતના નિર્ણયથી પાકિસ્તાનની અંદર બેચેની વધી છે. જેનો અંદાજ હાલના સમયમાં ત્યાંની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા નિર્ણયોથી જાહેર થાય છે.
ભારતના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી રહેલ આ ઇસ્લામિક દેશના પીએમ ઇમરાન ખાન દુનિયાભરના નેતાઓના સમર્થનની અપીલ કરે છે, તો ક્યારેક તેઓ ભારતના સ્વતંત્રતા દિવસ પર પોતાના ટ્વીટર ડીપીને બ્લેક કરી દે છે, તો ક્યારેક તેઓ ત્યાંની સેનાને LoC પર ફાયરિંગ કરાવી દે છે. હવે તેઓ પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓના નામ કાશ્મીર પર રાખવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન પંજાબ પ્રાંતની સરકારે જાહેરાત કરી છે કે તેઓ કાશ્મીરી લોકોની સાથે સદભાવના વ્યક્ત કરવા માટે 36 રોડ અને પાંચ મોટા પાર્કના નામ કાશ્મીર પર રાખશે. મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે શુક્રવારે આ એલાન કર્યું. બુઝદારે કહ્યું કે, પંજાબ સરકારે કાશ્મીરી લોકોની સાથે સદભાવના વ્યક્ત કરવા માટે 36 રોડના નામ કાશ્મીર રોડ અને પાંચ પાર્કના નામ કાશ્મીર પાર્ક રાખવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતે 5 ઓગસ્ટે જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો આપનાર સંવિધાનની કલમ 370ને ખતમ કરીને રાજ્યને બે સંઘ પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું. આ નિર્ણયથી હડધૂત થયેલ પાકિસ્તાનને ચીનનો સહારો મળી રહ્યો છે જેણે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે જ્યાં ભારતીય સમયાનુસાર શુક્રવારે ક્લોઝ ડોર બેઠક થવાની છે.