પાક મરીને IMBL નજીકથી 3 ભારતીય બોટ સહિત 18 માછી મારોનું અપહરણ કર્યું
પાકિસ્તાનની ફરી નાપાક હરકત આવી સામે
IMBL નજીકથી બની ઘટના
3 બોટની સાથે 18 માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ભારતના માછીમારોને હેરાન કરવામાં આવે છે. જેમા તેઓ ભારતના માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. આ મામલે માછીમારો દ્વારા ઘણી વખત સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે વધુમાં પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે.
પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમા તેમણે 3 ભારતીય બોટમાંથી કુલ 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ત્રણેય બોટ ગુજરાતની હોવાની શક્યતા
IMBL નજીકથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમા કુલ 3 બોટ હતી જે બંન્ને બોટમાં 18 માછીમારો હતા. બંને બોટ ગુજરાતના દ્વારકાની હોવાની શક્યતા સેવાઈ રહી છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટના બની છે. પાક મરીન અપહરણ કરીને કરાંચી તરફ લઈ ગયા હોવાનું અનુમાન છે.
6 ફેબ્રુઆરીએ પણ 2 બોટ અને 12 માછીમારોનું અપહરણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ફેબ્રુઆરીએ પણ આજ રીતે પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમા તેમણે ગુજરાતની 2 બોટમાંથી કુલ 12 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.