પાકિસ્તાની જનતાને કાશ્મીરની નહીં પરંતુ સૌથી વધારે ચિંતા આસમાને પહોંચલી મોંઘવારી અને બેરોજગારીની થઇ રહી છે. ગલપ ઇન્ટરનેશનલે આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશના તમામ ચાર પ્રાન્તોમાં એક સર્વેક્ષણ કરાવ્યું છે જેમાં આ જાણવા મળ્યું.
પાકિસ્તાનમાં કરાયેલા રિસર્ચમાં થયો ખુલાસો
53 ટકા અનુસાર, દેશની સામે સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારી
સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી માત્ર 8 ટકાએ કાશ્મીર મુદ્દાનું નામ લીધુ
'ગલપ એન્ડ ગિલાની પાકિસ્તાન' તરફથી કરવામાં આવેલા આ અધ્યયનમાં જણાવાયુ કે અધ્યયનમાં સામેલ 53 ટકા લોકોનું માનવું છે કે દેશની સામે સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારી છે.
સર્વેક્ષણ મુજબ, મોંઘવારી બાદ 23 ટકા લોકોને બેરોજગારી, 4 ટકાને ભ્રષ્ટાચાર અને 4 ટકાને જળ સંકટને ચિંતાનો વિષય બતાવ્યો. પાકિસ્તાન સરકાર કાશ્મીર મુદ્દાનો આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે જ્યા તમામ સંભવ પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી માત્ર 8 ટકાએ કાશ્મીર મુદ્દાનું નામ લીધુ.
સર્વેક્ષણમાં લોકોએ રાજનૈતિક, અસ્થિરતા, વીજળીનું સંકટ, ડેન્ગ્યૂ તથા અન્ય મુદ્દાનું નામ પણ લીધુ. સર્વેક્ષણ માટે બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને સિંધના લોકો સાથે વાત કરવામાં આવી. ગત કેટલાક વર્ષોમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંકટમાં છે.
જુલાઇમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે કહ્યું કે પાકિસ્તાન કમજોર અને અસંતુલિત વિકાસને કારણે ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે અને દેશની અર્થવ્યવસ્થા એ સ્થિતિમાં છે કે તેને સુધારની દિશામાં મહત્વપૂર્ણ પગલા ઉઠાવવાની જરૂર છે.