મદદ /
આ છે ભારતની સંસ્કૃતિ: યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની દીકરીનો બચાવાયો જીવ, જુઓ શું કહ્યું
Team VTV10:22 AM, 09 Mar 22
| Updated: 10:29 AM, 09 Mar 22
યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની મહિલાએ પીએમ મોદીનો માન્યો આભાર, પોતાના ઘર તરફ જવા માટે ભારતીય અધિકારીઓએ કરી હતી મદદ
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો 14મો દિવસ
પાકિસ્તાની મહિલાએ પીએમ મોદીનો માન્યો આભાર
મહિલાએ ભારતીય અધિકારીઓની કરી પ્રશંસા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 14મો દિવસ છે. હજી પણ રશિયા હથિયાર હેઠા મૂકવા તૈયાર નથી. રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં હુમલાને કારણે તમામ દેશો ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભારતે પણ ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં અનેક ભારતીયોને સુરક્ષિત પરત લાવ્યા છે. ત્યારે હવે એક પાકિસ્તાની મહિલાએ યુક્રેનમાંથી સુરક્ષિત બહાર નીકળવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે.
પાકિસ્તાની મહિલાએ પીએમ મોદીનો માન્યો આભાર
આ મહિલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાને પાકિસ્તાની મહિલા જણાવી રહી છે. તે વીડિયોમાં કહે છે કે મારું નામ આસ્મા શરીફ છે. અમને મદદ કરવા અને અહીંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હું કિવમાં ભારતીય દૂતાવાસ સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તેણે વધુમાં કહ્યું કે, તે ખૂબ જ મુશ્કેલ વાતાવરણમાં ફસાઈ ગઈ હતી અને ભારતીય અધિકારીઓએ તેની મદદ કરી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢી જેના માટે પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર. સૂત્રોના જણાવ્યા અનુસાર, અસ્માને ભારતીય અધિકારીઓએ બચાવી લીધી હતી. મળતી માહિતી મુજબ, આસ્મા જલ્દી જ પોતાના ઘરે પહોંચશે.
#WATCH | Pakistan's Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her.
Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp
મહત્વનું છે કે યુક્રેનમાં તણાવની સ્થિતિ જોતા ભારતે ઓપરેશન ગંગા અભિયાન શરુ કર્યુ હતું. જે અંતર્ગત અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોને તેમના વતન લાવવામાં આવ્યા છે. આગળના દિવસોમાં રોમાનિયાથી બે ફ્લાઈટ મારફતે 410 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે ઓપરેશન ગંગા અંતર્ગત 75 વિશેષ નાગરિક ફ્લાઇટ દ્વારા 15 હજાર 521 ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ભારતીય વાયુસેનાના 12 વિમાનો દ્વારા 2467 લોકોને પરત લાવવામાં આવ્યા છે. સાથે એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 32 ટનથી વધુ રાહત સામગ્રી યુક્રેનના પડોશી દેશોમાં પણ મોકલવામાં આવી છે.