હાલ પણ પાકિસ્તાનમાં વસવાટ કરતા અને પાકિસ્તાનનું જ નાગરિત્વ ધરાવતા એવા ઘણા હિંદુ ઠાકોર પરિવારોના અનેક કુટુંબીજનો રાધનપુર તાલુકાના આંતરીયાળ ગામોમાં વસવાટ કરે છે. પરંતુ આ વાત એક એવા પરિવારની છે કે જે વિઝિટર વીઝા પર ભારતમાં આવ્યા હતા પરંતુ બે દેશ વચ્ચેના તંગદિલીના માહોલમાં તેમનું પાકિસ્તાન પરત જવાનું કાનૂની દાવપેચમાં અટવાઈ ગયું છે.
હરિદ્વાર દર્શન કરવા આવેલ પરિવાર ફસાયો ગુજરાતમાં
પાકિસ્તાનથી વિઝિટર વિઝા લઇ આવ્યા ભારત યાત્રાએ
પ્રધાનમંત્રીને મદદ માટે કરી રહ્યા આજીજી
આ પાકિસ્તાનની કચ્છી ઠાકોર પરિવાર પાકિસ્તાન પરત જઈ શક્યો નથી. પાંચ મહિના જેટલો સમય વીતી ગયો છે. બીજી અકળામણ કરાવે તેવી વાત એ છે કે, આ પરીવારમાં રાણા ભાઈને પાંચ દીકરીઓ છે બે દીકરી હાલ તેમની સાથે ભારત આવી છે જ્યારે તેમની ત્રણ દીકરીના અને એક દીકરાના આ શિયાળામાં પાકિસ્તાનમાં લગ્ન કરવાના હતા. પરંતુ તેઓ હાલ ભારતમાં હોવાથી લગ્નની તૈયારી અને અન્ય સામાજિક વ્યવહારો પૂરા કરવાની ચિંતા તેમને સતાવી રહી છે.
કાયદાની ગૂંચમાં ફસાયો પરિવાર
આ પરિવાર પાકિસ્તાનથી ભારતમાં હરદ્વાર દર્શન કરવા માટે આવ્યો હતો તેમના વિઝિટર વિઝા પર પણ હરિદ્વારનો ઉલ્લેખ છે. પરંતુ આ પરિવાર હરિદ્વારથી પોતાના કુંટુબીજનોને મળવા સરકારી પરમિશન વગર રાધનપુરમાં આવી ગયો આ સ્થિતિમાં આ પરિવારોનું પાકિસ્તાન પરત જવું કાનૂની દાવપેચમાં અટવાઈ ગયું છે. વિઝાના નિયમોને લઈને કાનૂની દાવપેચમાં ફસાયેલો આ પરીવાર અભણ અને ખેત મજૂરી પર આધારિત હોવાથી હોવાથી તેમની આર્થિક હાલત કફોડી બની છે. વિઝાના નિયમોથી અજ્ઞાન આ પરિવાર હવે કાયદાની ગૂંચમાં ફસાયો છે.
પ્રધાનમંત્રીને કરી રહ્યો છે આજીજી
જોકે હાલતો આ પરીવાર પ્રધાનમંત્રીને આજીજી કરો રહ્યો છે કે તેઓ આ બાબતે કંઈક હસ્તક્ષેપ કરે અને પોતાનો પાકિસ્તાન પરત ફરવાનો માર્ગ મોકળો કરી આપે. ત્યારે આશા રાખીએ કે આ ગરીબ હિંદુ પરીવાર પોતાની દીકરીઓ સાથે ખૂબ જલદી પાકિસ્તાન પરત પહોંચીને પોતાના પરિવાર સાથે મિલાપ કરી શકે. સરકાર પણ આ કિસ્સામાં કેવો માનવતા ભર્યો અભિગમ અપનાવે તે જોવું રહ્યું.