પાકિસ્તાનના જાણીતા સિંગર આતિફ અસલમને લઈને ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી છોડી દેશે. જોકે, હવે તેણે આ અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ દિગ્ગજ સિંગરે મ્યુઝિક ઈન્ડસ્ટ્રી છોડવા પર આપી પ્રતિક્રિયા
આતિફએ કહ્યું- મ્યુઝિક ઈન્ડસ્ટ્રી છોડવાનો વિષય ખૂબ જ વ્યક્તિગત છે
આતિફે કહ્યું, 'મ્યુઝિક ઈન્ડસ્ટ્રી છોડવાનો વિષય ખૂબ જ વ્યક્તિગત છે પરંતુ હું દુનિયાનો ભાગ રહીને મારી જાતને મારા ધર્મ સાથે જોડવા માંગુ છું. હું એવું નથી કહી રહ્યો કે હું સંપૂર્ણ રીતે મ્યુઝિક ઈન્ડસ્ટ્રી છોડી રહ્યો છું, પણ હું અમારા ધર્મના કેટલાક મહત્વના પાસાઓને હાઈલાઈટ કરવા માંગુ છું, જેમ કે અલ્લાહ 99 નામ અને તાજદાર-એ-હરમ. મને એ જાણીને આનંદ થાય છે કે યુવાઓ માત્ર મારું સંગીત જ નથી સાંભળતા, પરંતુ તેઓ આ બાબતોમાં પણ રસ ધરાવે છે. જોકે, હું હજી પણ મ્યુઝિક છોડી નથી રહ્યો.
પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે ઈન્ટરનેટ પર અઝાનના મહત્વને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ વિશે આતિફે કહ્યું- મૈં સાંભળ્યું હતું કે, અમારા પયગમ્બર મોહમ્મદ સાહબના સમયમાં લોકો ધાબાઓ પર જઈને અઝાન આપતા હતા. બસ ત્યાંથી જ મને આઈડિયા આવ્યો અને મૈં તેના વિશે વિચાર્યા વિના જ નિર્ણય લઈ લીધો.
શબ્દોમાં ન કહી શકાય આ લાગણી
આતિફે આગળ કહ્યું- અઝાનને રેકોર્ડ કરવાના એક દિવસ પહેલાં હું ઊંઘી નહોતો શક્યો. હું મારી ઉત્સુકતાને રોકી શક્યો નહીં. એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને આવો મોકો મળશે.
આતિફના હાલમાં જ Asma-ul-Husna કોક સ્ટુડિયો પર્ફોમન્સની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી. આ વિશે તેણે કહ્યું, 'આપણે જીવનમાં ઘણી વસ્તુઓ કરીએ છીએ, કેટલાક સારાં કામ તો કેટલાક પાપ કરીએ છીએ. હું ભાગ્યશાળી હતો કે તાજદાર-એ-હરમમાં પર્ફોમ કરી શક્યો અને મને Asma-ul-Husna પર્ફોમ કરવાની તક મળી. નામ લેતી વખતે મને જે અનુભવ થયા તે શબ્દોમાં વ્યક્ત કરી નહીં શકું.