ભારતના આંતરિક મામલામાં પાકિસ્તાન સતત દખલ કરી રહ્યું છે. CAA પર પાકિસ્તાનના PM ઈમરાન ખાને કહ્યું કે 50 કરોડ લોકોની નાગરિકતા છીનવાઇ જશે. CAA બાદ NRC લાવવાથી નાગરિકતા છીનવાશે. ભારત સરકાર અલ્પસંખ્યકોને કિનારે કરી રહી છે. ભારતમાં મ્યાંનમાર જેવી સ્થિતિ થશે.
CAA પર બોલ્યાં ઇમરાન ખાન
50 કરોડ લોકોની નાગરિકતા છીનવાશે
CAA બાદ NRCથી નાગરિકતા છીનવાશે, મ્યાંનમાર જેવી સ્થિતિ થશે
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાના દેશની ચિંતા કરવાને બદલે ભારતના આંતરિક મામલામાં બયાનબાજી કરવાથી બહાર આવી રહ્યા નથી. કાશમ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રિય મંચ પર ખૂબ ઉછાળ્યો હતો અને સાથે જ તે ઊંઘા માથે પડ્યો પણ હતો. હવે ગભરાયેલા ઈમરાને ભારતમાં લાગૂ થયેલા નાગરિકતા સંશોઘન કાનૂન પર અલગ જ નિવેદન આપ્યું છે.
ભારત સરકાર અલ્પસંખ્યકોને કરી રહી છે કિનારે
મળતી માહિતિ અનુસાર ઈમરાને કહ્યું છે કે ભારતમાં સીએએ પછી નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ બનાવવામાં આવશે અને કાર્યવાહીમાં 50 કરોડ લોકોની નાગરિકતા ખતમ થશે. વધુમાં કહ્યું કે ભારતમાં મોદી સરકાર અલ્પસંખ્યકોને કિનારે કરીને મ્યાનમાર જેવી સ્થિતિ જન્માવી રહી છે. મ્યાનમાંર સરકારે પહેલાં પંજીકરણનું કામ કર્યું અને પછી તેની મદદથી મુસલમાનોનો સંહાર કર્યો અને મારી આશંકા છે કે ભારત પણ આ દિશામાં જઈ રહ્યું છે.
ચીનના દેવાની જાળમાં ફસાવવાને લઈને બોલ્યા ઈમરાન
જ્યારે ઇમરાન ખાનને પૂછવામાં આવ્યું કે શું હાલના વિકાસ પછી લોકો ભારતથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સ્થળાંતર કરવા માંગશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મને લાગે છે કે બાંગ્લાદેશ પહેલાથી જ ચિંતિત છે કારણ કે ભારતે પહેલાથી જ આસામમાં લગભગ 20 લાખ લોકોની નોંધણી કરાવી છે. મને સંખ્યા ખબર નથી પરંતુ આટલા લોકોનું શું થશે. પાકિસ્તાનના વડા પ્રધાને પણ પાકિસ્તાન-ચાઇના ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પ્રોજેક્ટ પર ઉદભવતા પ્રશ્નોને નકારી કાઢીને કહ્યું હતું કે ચીન દેવાની જાળમાં આવી શકે છે. એમ કહીને કહયું કે ચીનમાં પાકિસ્તાનના દેવાની જાળમાં છે તેવો કોઈ આધાર નથી.
ઈરાન અમેરિકા સંકટનું થાય સ્થાયી સમાધાન
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવ અંગે ઇમરાને કહ્યું કે તે હજી બાકી છે, પરંતુ રાજકીય રાજકીય પ્રયાસોથી આ વિસ્તારમાં યુદ્ધ અટકી ગયું તે સંતોષની વાત છે. તેમણે કહ્યું કે, જોકે પાકિસ્તાને તણાવ ઓછો કરવામાં ભૂમિકા ભજવી છે, પરંતુ આવા વિવાદને કાયમી સમાધાનની જરૂર છે. આપણે જણાવી દઈએ કે આ સમયે પાકિસ્તાન ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી.