પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શનિવારે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના કારણે આપણને ભારતથી ખતરો વધતો જઇ રહ્યો છે. તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે કે ભારત પોતાની ઘરેલૂ પરિસ્થિતિઓથી ધ્યાન ભટકાવવા માટે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. ઇમરાને કહ્યું કે તેઓ ભારતના કોઇપણ પ્રોક્સી વૉર (યુદ્ધ)નો જડબાતોડ જવાબ આપશે.
નાગરિકતા કાયદા પર ઇમરાને પરમાણુ યુદ્ધની આપી હતી ધમકી
ઇમરાન ખાને કેટલાક ટ્વિટ કર્યા. તેમણે કહ્યું કે સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે LoC પર ક્યારેય પણ સ્થિતિ બગડી શકે છે. ભારતમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ વિરોધ વધી રહ્યો છે. ભારતીય સેના પ્રમુખના નિવેદન બાદ પ્રોક્સી કાર્યવાહીને લઇને અમારી ચિંતા વધી ગઇ છે. તેઓ (ભારત) આપણા વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.
'અમારી પાસે ભારતને જવાબ આપવા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય'
ઇમરાને ટ્વિટ કર્યું કે, હું છેલ્લા કેટલાક સમયથી ત્યાંના તમામ સમુદાયને ચેતવણી આપી રહ્યો છું અને ફરી કહી રહ્યો છું. જો ભારત પોતાની ઘરેલૂ હિંસાથી ધ્યાન ભટકાવવા અને હિન્દુ રાષ્ટ્રવાદ માટે યુદ્ધને સમર્થન આપે છે તો પાકિસ્તાન પાસે ભારતને જવાબ આપવા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય.
નાગરિકતા કાયદા પર ઇમરાને પરમાણુ યુદ્ધની આપી હતી ધમકી
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને થોડા દિવસ અગાઉ પરમાણુ હુમલાની ધમકી આપી હતી. જેનેવામાં આંતરરાષ્ટ્રીય શરણાર્થી ફોરમની બેઠકમાં ઇમરાને ભારતના નાગરિકતા બિલને દક્ષિણ એશિયાનું મોટું શરણાર્થી સંકટ ગણાવ્યું. ઇમરાને કહ્યું હતું કે ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થિઓને નાગરિકતા આપવાનો નિર્ણય ભેદભાવ ભરેલો છે. આનાથી ન માત્ર ક્ષેત્રીય તણાવ વધ્યો, પરંતુ આનાથી પરમાણુ શક્તિ સંપન્ન દેશોમાં ટકરાવ પણ થઇ શકતો હતો. ઇમરાનના નિવેદન પર વિદેશ મંત્રાલયે આને ભારતના આંતરિક મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવાની જૂની આદત જણાવી છે.