પૂર્વ પાકિસ્તાને ફાસ્ટ બોલર શોએબ અખ્તર દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં હિન્દુ ખેલાડીઓના ઉત્પીડનની સચ્ચાઈ વ્યક્ત કર્યા બાદ એક મોટો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની ખેલાડી રહેલ દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ શોએબ અખ્તરના ખુલાસાનું સમર્થન કર્યું છે.
શોએબના ખુલાસા પર દાનિશ કનેરિયા, મારી સાથે વાત પણ નહોતા કરતા ખેલાડી
હવે હું બોલીશ અને તેનું નામ બતાવીશ જે મારા હિન્દુ હોવાના કારણે ભેદભાવ કરતા હતા
દાનિશ કનેરિયાએ કહ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓને મારી સાથે જમવાની સમસ્યા થતી હતી કારણ કે તેઓ એક હિન્દુ ખેલાડી હતા. શોએબ અખ્તરે સાચું કહ્યું. હું તે ખેલાડીઓના નામ બતાવીશ જે મારી સાથે વાત કરવાનું પણ પસંદ નહોતા કરતા. કારણ કે હું એક હિન્દુ હતો. તે સમયે આના પર બોલવાની હિમ્મત ન હતી, પરંતુ હવે હું બોલીશ અને તેના નામ બતાવીશ.
Pak cricketer Danish Kaneria to ANI on Shoaib Akhtar's allegations that Pak players had problems eating with Kaneria as he's a Hindu:He told the truth. I'll reveal names of players who didn't like to talk to me as I was a Hindu. Didn't have courage to speak on it, but now I will. pic.twitter.com/HmeSUhtbUk
જણાવી દઇએ કે શોએબ અખ્તરે એક ચેટ શોમાં ખુલાસો કર્યો કે પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયા હિન્દુ હતા તેના કારણે પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.
તેમણે કહ્યું કે, મારા કરિયરમાં ઝઘડો બે-ત્રણ ખેલાડીઓ સાથે થયો. જ્યારે તેમણે કરાચી, પેશાવર અને પંજાબની વાત કરી તો મને બહુ ગુસ્સો આવતો હતો. યાર કોઈ હિન્દુ છે, તે રમશે. એજ હિન્દુએ ટેસ્ટ સીરીઝ જીતાડી.
શોએબએ કહ્યું કે, વાત ખુલી જશે. પરંતુ જણાવી દઉ કે કેટલાક પ્લેયર્સે મને કહ્યું કે દાનિશ અહીંથી ખાવાનું કેમ લઇ જઇ રહ્યો છે. મે તેને કહ્યું હતું તેને અહીંથી ઉઠાવીને બહાર ફેંકી દઇએ. કેપ્ટન હશો, તમે તમારા ઘરના. તે તમને છ-છ વિકેટ લાવી આપે છે. ઈંગ્લેન્ડમાં દાનિશ અને શમીએ જ આપણને સીરીઝ જિતાડી હતી.
શોએબે કહ્યું કે, દાનિશ હિન્દુ હતો. એટલા માટે તેની સાથે ભેદભાવ થયો. કેટલાક પ્લેયર્સને આ વાતથી તકલીફ હતી કે તે અમારી સાથે કેમ જમે છે?