દેશ અને દુનિયામાં પોતાના ભજન અને ગીતોથી જાદુ વિખેરનાર સિંગર અનુપ જલોટાએ એક વેબસાઈટ સાથે વાત શેર કરી છે. તેઓ એક ખાનગી ઈવેન્ટમાં સામેલ થવા માટે રાયપુર ગયા હતા. આ દરમ્યાન વિદેશમાં થતાં પોતાના અનુભવને શેર કર્યો.
સિંગર અનુપ જલોટાએ એક ઈવેન્ટમાં આપ્યું નિવેદન
વિદેશમાં એરપોર્ટમાં ભારતનો પાસપોર્ટ બતાવવાથી મળે છે માન
પાકિસ્તાની પાસપોર્ટ બતાવનારા લોકોને શંકાની દ્રષ્ટિએ જોવાય છે
વિદેશમાં ભારતનો એરપોર્ટ બતાવવાથી લોકો આપે છે માન: જલોટા
અનુપ જલોટાએ કહ્યું કે છેલ્લાં થોડા દિવસોથી ભારતનુ વિદેશમાં માન વધ્યું છે. મેં નોટીસ કર્યુ છે કે વિદેશમાં એરપોર્ટમાં ભારતનો પાસપોર્ટ બતાવવાથી લોકો માન આપે છે. તો પાકિસ્તાની પાસપોર્ટ બતાવનારા લોકોને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પદ્મશ્રી અનુપ જલોટાએ કહ્યું કે દેશભરમાં દેશભક્તિની ભાવના જાગી છે. દેશમાં સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મોનો ટ્રેન્ડ છે. કાશ્મીર ફાઈલ્સનો ઉલ્લેખ કરતા કહ્યું, તે પણ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. દેશમાં કોઈને ખબર ન હતી કે આ પ્રકારની કોઈ ફિલ્મ બની રહી છે. ડાયરેકટરને પણ ખબર નહોતી કે ફિલ્મ આટલી ચાલશે. જનતાનો પ્રેમ મળ્યો અને ધન વર્ષા થઇ.
આજે પણ શાસ્ત્રીય સંગીત પસંદ કરવામાં આવે છે
લોકોને ખબર નહોતી કે આપણા પૂર્વજોની સાથે આ પ્રકારની ક્રૂરતા થઇ છે. ફિલ્મના ડાયરેક્ટર, નિર્માતા દેશના દર્શકોનો મૂડ સમજી ગયા છે, લોકો ઈતિહાસને જાણવા માગે છે. દેશમાં સત્ય ઘટનાઓ વધારે છે. ઈતિહાસ સાથે સંબંધિત અત્યારે 50થી વધુ ફિલ્મો બનશે. સિખ નરસંહારને લઇને ફિલ્મ બની રહી છે. જલોટાએ કહ્યું કે શાસ્ત્રીય સંગીતમાં અધ્યાત્મ છે, આ સાથે લોકો વચ્ચે પોઝીટીવ મેસેજ આપે છે. પૉપ અને રીમિક્સ ગીતને સાંભળ્યા બાદ થોડા દિવસ બાદ લોકો ભૂલી જાય છે, એસી લાગી લગન, મીરા હો ગઈ મગન... 45 વર્ષ બાદ પણ આજે લોકોના મોંઢે છવાયેલુ છે. પૉપ અને રીમિક્સ ગીતનુ કોઈ ભવિષ્ય નથી. ખબર નહીં કેટલા દિવસો સુધી ચાલે.