પાકિસ્તાનના મરીન્સે ગુજરાતના દ્વારકામાં એક દરિયાઈ વિસ્તારમાં ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક માછીમારનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
ભારતીય જળસીમામાં પાકની નાપાક હરકત
ગોળીબાર બાદ 6 જેટલા માછીમારોનું અપહરણ
ગોળીબારમાં એક માછીમારનું મોત નિપજ્યું
પાકિસ્તાનના મરીન્સે ગુજરાતના દ્વારકામાં એક દરિયાઈ વિસ્તારમાં ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક માછીમારનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
ભારતીય જળસિમામાં પાકની નાપાક હરકત
પાકિસ્તાન અવાન નવાર માછીમારોનું અપહરણ અને સિઝ ફાયરિંગનું ઉલ્લઘંન કરવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ એક વાર પાક દ્વારા નાપાક હરકત કરવામાં આવી જેમાં પાકિસ્તાન મરીન્સે ગુજરાતના દ્વારકામાં દરિયામાં ભારતીય સિમામાં માછીમારી કરી રહેલા માછીમાર પર ફાયરિંગ કર્યું હતું, બોટ પર ગોળીાર કરતા બોટમાં સવાર માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં આજે એક ભારતીય માછીમારનું મોત થયું છે. ગઈ કાલે પાક દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
પાકિસ્તાને 6 જેટલા માછીમારોનું અપહરણ
આ સિવાય પણ પાકિસ્તાન દ્વારા અન્ય 6 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. જેને લઈને હવે ભારત હરકતમાં આવ્યું છે. ભારત દ્વારા પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારે વિરોધ નોંધાવામાં આવ્યો છે. અને આંતરાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ નોંધાવશે તેવું પણ મનાઈ રહ્યું છે. પાકિસ્તાન એજન્સીઓએ ભારતને ઉશ્કેરવા માટે ફાયરિંગ કર્યું જેમાં એક ભારતીય માછીમારનું મોત નિપજ્યું છે.
પાક. મરીન્સના ગોળીબારમાં એક માછીમારીનું મોત
પાકિસ્તાની મરીન્સે જે બોટ પર ફાયરિંગ કર્યું હતું તેને જલ પરી કહેવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. દરમિયાન ઇજાગ્રસ્તોને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન્સે હુમલો કર્યો ત્યારે બોટ ભારતીય સરહદની અંદર હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની મરીન્સે જે બોટ પર ફાયરિંગ કર્યું તેનું નામ જલપરી
પાકિસ્તાની મરીન્સે જે બોટ પર ફાયરિંગ કર્યું હતું તેને જલ પરી કહેવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. દરમિયાન ઇજાગ્રસ્તોને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન્સે હુમલો કર્યો ત્યારે બોટ ભારતીય સરહદની અંદર હોવાના અહેવાલ છે.