પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાનું વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જ્યારે અન્ય ઘાયલ થયાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. જો કે મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં 5 સૈનિકના પણ મૃત્યું થયા છે.
પાકિસ્તાનની સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મૃતકોમાં 5 સેનાના જવાન પણ સામેલ છે. બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર વિમાન દૂર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાંક લોકોની હાલત ગંભીર છે.
પાકિસ્તાન સેનાએ હજુ સુધી પ્લેન ક્રેશ થયા અંગેનું કારણ આપ્યું નથી. સેનાએ કહ્યું કે વિમાન સામાન્ય રીતે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ રાવલપિંડીના મોરા કાળૂ ગામ પાસે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. રહેણાંક વિમાનમાં પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત બન્યા બાદ ભીષણ આગ લાગી હતી જેના કારણે વિસ્તારમાં આગની જવાળાઓ જોવા મળી હતી.
રહેણાંક વિસ્તારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સેનાના એક અધિકારી ફારૂક બટ્ટે કહ્યું છે કે સરકારે ઇમરજન્સી નંબર જાહેર કર્યાં છે. અંદાજે 12 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 20થી વધારે લોકો ઘાયલ થયાં છે.