પાકિસ્તાનનાં મોટા ન્યૂઝપેપરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ખુબ વખાણ કર્યાં છે. ન્યૂઝપેપરે લખ્યું કે મોદીનાં નેતૃત્વમાં ભારતનું માથું વિદેશમાં ઊંચું થયું છે. વિદેશ નીતિ મજબૂત થઈ છે અને અર્થવ્યવસ્થામાં પણ તેજી આવી છે.
પાકિસ્તાનનાં મોટા ન્યૂઝપેપરે PM મોદીનાં કર્યાં વખાણ
ભારતની વિદેશનિતી અને અર્થવ્યવસ્થાનો કર્યો ઉલ્લેખ
GDPથી લઈ કૃષિ ક્ષેત્રની કરી પ્રશંસા
પાકિસ્તાનનાં એક મુખ્ય અખબારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં છે. ન્યૂઝપેપરે કહ્યું કે નરેન્દ્ર મોદીને ભલે પાકિસ્તાનમાં નફરતની નજરે જોવામાં આવતું હોય પરંતુ તેમણે ભારતને એક બ્રાંડ બનાવ્યું છે જે તેમના પહેલાં કોઈ ન કરી શક્યું. મોદીએ ભારતને તે માર્ગ પર લાવ્યું છે કે જ્યાંથી ભારતનો પ્રભાવ વ્યાપક રૂપે વધે છે. મોદીનાં નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધ્યું છે.
GDP પણ વધીને 3 ટ્રિલિયન ડોલર...
પાકિસ્તાનનાં ન્યૂઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાના એક ઓપિનિયન લેખમાં લખ્યું કે PM મોદીએ ભારતને એક એવા મુકામ પર લાવ્યાં છે કે જ્યાંથી દેશનો પ્રભાવ વ્યાપકરૂપે વધવાનું શરૂ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ પણ કુશળતાપૂર્વક ચાલી રહી છે અને તેની GDP પણ વધીને 3 ટ્રિલિયન ડોલર થઈ છે.
ભારતની વિદેશનીતિનાં વખાણ
નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતની નોંધનીય પ્રગતિનો ઉલ્લેખ કરતાં શહજાદ ચૌધરીએ લખ્યું કે 'ભારત રોકાણકારો માટે એક મનપસંદ જગ્યા બની છે.' શહજાદ ચૌધરી પ્રસિદ્ધ રાજનિતીજ્ઞ, સુરક્ષા અને રક્ષા વિશ્લેષક છે. તેમણે પોતાના લેખમાં લખ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં વિદેશનિતીનાં મોર્ચા પર પોતાનો ડોમેન સ્થાપિત કર્યો છે. તેમણે લખ્યું કે ભારત પોતાની વિદેશ નીતિની મદદથી વૈશ્વિક ધોરણે તેજીથી ઊભરી રહ્યું છે, અમેરિકા સાથે પોતાના વધુ સારા સબંધોનો લાભ લઈ રહ્યો છે પરંતુ પાકિસ્તાનનાં લોકો માત્ર નિંદા કરવામાં લાગ્યાં છે.
સમગ્ર દુનિયા માટે પ્રાસંગિક છે ભારત
તેમણે લખ્યું કે ભારત સમગ્ર દુનિયા માટે પ્રાસંગિક બન્યું છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયેલ છે. તેનો લક્ષ્ય વર્ષ 2037 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થઆ બનવાનો છે. ભારતની જીડીપી પણ ચીન બાદ સૌથી સારૂં પ્રદર્શન કરનારી GDP બની ગઈ છે.
ભારતીય કૃષિ અને IT સેક્ટરનાં પણ વખાણ
શહઝાદ ચૌધરીએ લખ્યું કે આટલી વધુ આબાદીવાળો દેશ હોવા છતાં પણ ભારત પોતાના લોકોનું પેટ સારીરીતે પોષી રહ્યું છે. ઈન્ફોસિસ દુનિયાની સૌથી ઉત્તમ કંપની બની ગઈ છે. તેમણે આગળ લખ્યું કે ભારત કૃષિ ઉત્પાદકો અને આઈટી ઉદ્યોગનો પણ મોટો ઉત્પાદક છે. કૃષિમાં ભારતની પ્રતિ એકર ઉપજ દુનિયામાં સૌથી સારી છે. 140 કરોડ લોકોનો દેશ હોવા થચાં અહીં કૃષિ સ્થિર, સુસંગત અને કાર્યાત્મક બનેલ છે.
કાશ્મીરથી કલમ 370 હટાવીને પાકિસ્તાનને માત આપી- શહઝાદ
તેમણે લખ્યું કે ભારત દરેક ક્ષેત્રમાં પાકિસ્તાનથી આગળ નિકળ્યું છે અને બંને દેશોનાં વિકાસની વચ્ચે ક્યારે ન ભરી શકાય તેવી ખાઈ બની ગઈ છે. ભારત વૈશ્વિક સ્તરે પોતાનું નિશાન છોડી ચૂક્યું છે. તે G-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે અમે જી-20નો સદસ્ય પણ છે. કોઈ માને કે ન માને પરંતુ ભારતે કાશ્મીરથી કલમ 370 હટાવીને પાકિસ્તાનને માત આપી છે.