પાકિસ્તાનના આતંકવાદી ષડયંત્રનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. પાકિસ્તાન હંમેશા આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રય સ્થાન રહ્યું છે, તેમાં કોઈ બેમત નથી. જેનું તાજુ ઉદાહરણ તાલિબાનો દ્વારા મુક્ત કરવામાં આવેલા જૈશના આતંકવાદીઓને શરણ આપવા સંદર્ભે છે.
પાકિસ્તાનના આતંકવાદી ષડયંત્રનો ફરીથી થયો પર્દાફાશ
તાલિબાનોએ અફઘાનિસ્તાનમાંથી જેલોમાંથી મુક્ત કર્યા પાક. આતંકીઓ
આતંકવાદીઓ પીઓકેના રાવલકોટ અને અન્ય વિસ્તારોમાં પહોંચી ગયા
તાલિબાનોએ પાક. આતંકવાદીઓને મુક્ત કર્યા
તાલિબાનોએ અફઘાનિસ્તાનની જેલોમાં બંધ પાકિસ્તાની આતંકવાદીઓને મુક્ત કરી દીધા છે. પાકિસ્તાને તાલિબાનો દ્વારા જેલમાંથી મુક્ત કરવામાં આવેલા જૈશના આતંકીઓને શરણ આપી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું સૌથી સુરક્ષિત ઠેકાણામાંનું એક છે. કહેવાઈ રહ્યું છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાનની જેલોમાં બંધ જે આતંકવાદીઓને મુક્ત કરી દીધા છે તેનો ઉપયોગ પાકિસ્તાન હવે ભારતની વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવામાં કરી શકે છે. પાકિસ્તાનના ઘણાં વિસ્તારોમાં તાલિબાનોની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સતત ભારતની સામે આડકતરી રીતે ચીનની સાથે મળી મુશ્કેલી ઉભી કરવામાં લાગી ગયુ છે.
આતંકવાદીઓ પીઓકે હેઠળના વિસ્તારોમાં પહોંચ્યાં
જણાવવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની જેલમાંથી તાબિલાનોએ મુક્ત કરેલા પાકિસ્તાની જૈશના આતંકવાદી પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકેના રાવલકોટ અને પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં જૈશના આતંકી સમુહે અફઘાનિસ્તાનની જેલોમાંથી મુક્ત કરવામાં આવેલા જૈશના આતંકવાદીઓના સ્વાગતમાં ઉજવણીની ફાયરિંગ કરી પાકિસ્તાનની જેલમાં તેમનું સ્વાગત કર્યુ છે.
રાવલકોટમાં સ્થળાંતરિત કરવાની સુવિધા કરી પ્રદાન
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ અફઘાનિસ્તાનની જેલોમાં બંધ જૈશ આતંકવાદીઓને મુક્ત કરાવ્યાં બાદ કાબુલથી ઈસ્લામાબાદ અને ત્યારબાદ રાવલકોટમાં સરળતાથી સ્થળાંતરિત કરવાની સુવિધા પ્રદાન કરી છે.