જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાના દ્વારા આંતરરાષ્ટ્રીય બોર્ડર છેલ્લાં કેટલાંક દિવસથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આખી રાત પાકિસ્તાને કઠુઆ જિલ્લાના આરએસપુરા સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતુ. જેમાં ચાર નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્ત થયેલ વ્યકતિઓમાં ત્રણ હીરાનગર સેક્ટરના લોદી ગામમાં અને એક નાગરિક અરનિયા સેક્ટરમાં ઈજાગ્રસ્ત થયા છે. એવુ પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાને BSFની લગભગ 40 પોસ્ટને નિશાને બનાવ્યું હત તો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાન દ્વારા રાતભર હીરાનગર સાંબા રામગઢ અરનિયા અને આરએસપુરામાં સતત ગોળીબાર કરવામાં આવ્યો. તો આંતરરાષ્ટ્રીય બોર્ડના પાંચ કિ.મી.ની આસપાસની તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં રજા આપી દેવાઈ છે.
આ ઉપરાંત સતત ફાયરિંગને જોતા આરએસપુરા અરનિયા અને સાંબા સેક્ટરમાં વધુ બુલેટપ્રૂફ વાહનો મોકલવામાં આવ્યા છે. જણાવી દઇયા કે પાકિસ્તાન દ્વારા 82MM મોર્ટાર શેલ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.