ભારત પાકિસ્તાન વચ્ચે 23 ઑક્ટોબના રોજ મેલબર્ન ગ્રાઉન્ડ પર મેચ રમાશે. આવામાં પાકિસ્તાનનાં હારીસ રઉફે ભારતને ચેતવણી આપતા કહ્યું કે મેલબર્ન તો તેમનું ગઢ છે.
ભારત - પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરના રોજ મેચ
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે આ મુકાબલો
હારીસ રઉફે કહ્યું, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ તો તેમનું ગઢ છે
ભારત - પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરના રોજ મેચ
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સામનો 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે થશે. ટી20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને મેલબર્નમાં થનારા આ મહામુકાબલા પર સૌ કોઈની નજર ટકેલી છે. મેચ પહેલા હવે પાકિસ્તાનનાં હારીસ રઉફે કહ્યું છે કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ તો તેમનું ગઢ છે, આવામાં ટી20 વર્લ્ડ કપમાં ભારત તેમનાથી બચીને રહે.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે આ મુકાબલો
ભારત-પાકિસ્તાન મુકાબલાને લઈને હારીસ રઉફે કહ્યું છે કે જો હું મારુ બેસ્ટ આપું છું, તો તે લોકો મને નહીં રમી શકે. ટી20 વર્લ્ડ કપ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું કેમકે આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવામાં આવશે. આ મારુ હોમગ્રાઉન્ડ છે કેમકે હું મેલબર્ન સ્ટાર્સ માટે રમુ છું અને મને અહીની કન્ડિશનનો આઇડિયા છે. મેં પ્લાન કરવાનું શરૂ કરી દીધું છે કે મારે ભારત સામે કેવી રીતે બોલિંગ કરવાની છે.
હારીસ રઉફે કહ્યું, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ તો તેમનું ગઢ છે
જણાવી દઈએ કે પાકિસ્તાનના હારીસ રઉફ આજકાલ ફોર્મમાં છે, એશિયા કપમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ ઈંગ્લેન્ડ સામે રમવામાં આવેલ ડોમેસ્ટિક સીરિઝમાં પણ તેઓ ફોર્મમાં હતા. હારીસ રઉફે ભારત - પાકિસ્તાન મેચને લઈને કહ્યું કે આ હંમેશા હાઇ પ્રેશર જેમ રહે છે. ટી20 વર્લ્ડ કપમાં ગયા વર્ષે ઘણું દબાણ હતું, આ વખતે પણ અમે મુકાબલા માટે તૈયાર છીએ.
ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની સફર એકબીજા સામે થનારી આ મેચ સાથે જ શરૂ થશે. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી માત આપી હતી અને સાથે જ એશિયા કપમાં બંને ટીમ વચ્ચે બે મુકાબલા થયા હતા, જેમાં 1-1 બંનેએ પોતાને નામ કર્યા હતા.