ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની કમાન્ડોને સેનાએ બોર્ડર પર ઠાર માર્યો છે. LoC પર ભારતીય સેનાના ફાયરિંગમાં કમાન્ડો અહમદ ખાન ઠાર મરાયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વાયુસેનાના પાયલટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યારબાદ તેમને ત્યાં પકડી લેવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુના એક કમાન્ડો અહમદ ખાનને ભારતીય સેનાને એલઓસીના નકિયાલ સેક્ટરમાં 17 ઓગસ્ટે ત્યારે ઠાર માર્યો હતો, જ્યારે તેઓ ભારતમાં ઘુસણખોરોની એન્ટ્રી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પાકિસ્તાને જ્યારે 27 ફેબ્રુઆરીએ અભિનંદન પકડાયાનો ફોટો જાહેર કર્યો હતો તેમાં દાઢીવાળા સૈનિક અહમદ ખાનને ભારતીય પાયલટની પાછળ ઉભા જોઇ શકાય છે.
ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. સેનાની આ કાર્યવાહીમાં બોર્ડર પારથી ચાલી રહેલ કેટલાક આતંકવાદી સંગઠનોને નિશાન બનાવ્યા હતા. આ એક્શનના આગલા જ દિવસે પાકિસ્તાની સેનાએ અભિનંદનને તેવા સમયે પકડ્યો હતો, જ્યારે તેમનું મિગ 21 વિમાન પાકિસ્તાની વિમાનનો પીછો કરતા સમયે ક્રેશ થયું હતું.
એવી જાણકારી મળી છે કે, અહમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલ્લન વાલા સેક્ટોરમાં ઘુસણખોરી કરાવતા હતા. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરાવીને ખાન અને તેમના સાથી કાશ્મીરમાં આતંકવાદી કરતૂતોને અંજામ આપવાની ફિરાકમાં રહેતા હતા.
જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે જેનો જડબાતોડ જવાબ સેના તરફથી આપવામાં આવી રહ્યો છે. આ જવાબી કાર્યવાહી અને ઘુસણખોરી રોકવાના પ્રયાસમાં જવાનોને મોટી સફળતા મળી છે.