પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના મંદિરો પર થતાં હુમલા અટકતા નથી. હાલમાં થયેલા હુમલામાં પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં કટ્ટરપંથીઓએ માં દુર્ગાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ દરમ્યાન કટ્ટરપંથીઓએ મંદિરમાં ખૂબ હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી.
પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં કટ્ટરપંથીઓનો હુમલો
કટ્ટરપંથીઓએ માં દુર્ગાની મૂર્તિને ખંડિત કરી
છેલ્લાં 22 મહિનામાં આ નવમો મોટો હુમલો
કરાંચીના નરિયાન પૂરા હિન્દુ મંદિર પર થયો હુમલો
પાકિસ્તાનમાં હિન્દુઓના મંદિર પર આ પહેલો હુમલો નથી. આ અગાઉ પણ મંદિરો પર ઘણાં હુમલા કરવામાં આવ્યાં છે. જો જોવામાં આવે તો છેલ્લાં 22 મહિનામાં આ નવમો મોટો હુમલો છે. આ હુમલો કરાંચીના નરિયાન પૂરા હિન્દુ મંદિર પર થયો છે. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ કરી છે. માંની મૂર્તિને તોડી નાખી. જેને કારણે કરાંચીમાં રહેતા હિન્દુ સમુદાયમાં આક્રોશ ફેલાયો છે.
Attack on Narian Pora Hindu Temple in Karachi. This is 9th attack on Hindu Temple in 22 months despite Supreme Court notices and government claims that they protect Temple — nothing has changed.
It happens when culprits are allowed to walk free. pic.twitter.com/RevrRED2mr
આ હુમલા પરથી ખબર પડે છે કે કટ્ટરવાદીઓ નિડર બનીને ખુલ્લેઆમ ઉત્પાત મચાવી રહ્યાં છે. કારણકે સુપ્રીમ કોર્ટ સતત હુમલાને પગલે નોટીસ જાહેર કરી રહી છે. ઈમરાન ખાનની સરકાર દાવો કરી છે કે તેઓ મંદિરોની સુરક્ષા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આની પહેલાં પણ સિંધના બાદિન વિસ્તારમા કટ્ટરવાદીઓએ એક મંદિરમાં તોડફોડ કરી હતી. કટ્ટરવાદીઓ અગાઉ પણ ઘણી વખત મંદિરોને પોતાના નિશાન બનાવી ચૂક્યા છે. હમણાં થોડા મહિના પહેલાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગણેશ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો.