પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા એરસ્ટ્રાઈકમાં લગભગ 30 અફઘાની નાગરિકો માર્યા ગયા અથવા તો ઘાયલ થયા છે.
પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં કરી એર સ્ટ્રાઈટ
સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવ્યા હોવાનો દાવો
મહિલાઓ અને બાળકોના પણ જીવ ગયા હોવાનો દાવો
પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા એરસ્ટ્રાઈકમાં લગભગ 30 અફઘાની નાગરિકો માર્યા ગયા અથવા તો ઘાયલ થયા છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વી કુનાર અને ખસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ પણ શિકાર થઈ હતી.
સામાન્ય નાગરિકોના જીવ ગયા હોવાનો દાવો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની વિમાનોએ કુનારમાં શિલ્ટન વિસ્તારમાં અને ખોસ્તના સ્પરાઈ જિલ્લાના એક વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો, જેમાં સામાન્ય નાગરિકોના જીવ ગયા હતા. મામલાને લઈને પાકિસ્તાની સરકાર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય અત્યાર સુધી આ મામલામાં પર કોઈ ટિપ્પણી કરી નથી.
સુરક્ષા વિભાગે ઘટનાની પુષ્ટિ કરી
કુનારમાં સ્થાનિક અધિકારીઓએ અત્યાર સુધી આ મામલે કોઈ ટિપ્પણી આપી નથી, પણ ખોસ્ત સુરક્ષા વિભાગના એક પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે, જો કે, નાગરિકોના મોત અંગે તેમાં કોઈ વિવરણ આપવામાં આવ્યું નથી. ખોસ્તમાં રહેતા વઝીરિસ્તાનના એક આદિવાસી વૃદ્ધે જણાવ્યું છે કે, પાકિસ્તાની સેનાના વિમાનોએ આ વિસ્તારમા વઝીરિસ્તાન પ્રવાસીઓની શિબિરોને ટાર્ગેટ બનાવ્યા છે, જેમાં લગભગ 30 લોકો માર્યા ગયા છે, કાં તો ઘાયલ થયા છે. કુનારમાં પ્રત્યક્ષદર્શીઓએ પાકિસ્તાની ફોર્સના હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે.
બંને દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ
કાબુલમાં તાલિબાન આવ્યા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે બોર્ડરને લઈને તકરાર વધી રહી છે. એક્સપર્ટ માને છે કે, બોર્ડરને લઈને બંને પક્ષ વચ્ચે સતત મતભેદો થતાં રહે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર હાલમાં જ એક પાકિસ્તાની સૈન્ય હેલીકોપ્ટરને ગોળી મારી દિધા બાદ તાલિબાન અને પાકિસ્તાનના સૈનિકો દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંતમાં ડૂરંડ રેખા પર હાઈએલર્ટ પર છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર નજર રાખનારા લોકોનું કહેવુ છે કે, ડૂરંડ લાઈનને લઈને તાલિબાન ખૂબ દ્રઢ છે. ત્યારે આવા સમયે બંને પક્ષ વચ્ચે વાતચીત દ્વારા મુદ્દાનું સમાધાન કાઢી અને વિવાદને આગળ નહીં વધારવો જોઈએ.