ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ગુરૂવારે (14 નવેમ્બર) કંઇક એવું થયું જેના દરેક વખાણ કરશે. જેમાં 150 પ્રવાસીઓ લઇને જયપુરથી મસ્કટ જઇ રહેલ એક ભારતીય વિમાન પાકિસ્તાની હવાઇ સીમામાં હવામાન ખરાબ હોવાથી ફંસાયું હતું. તે સમયે પાકિસ્તાન વ્હારે આવ્યું હતું.
વિમાન પર વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું
ભારતીય વિમાને પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલને કર્યું અલર્ટ જાહેર
પાકિસ્તાને દુર્ઘટનાનો શિકાર થતા બચાવી લીધું
વિમાન પર વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું. લગભગ તે સમયે 36,000 ફૂટની ઉંચાઇથી 34,000 ફૂટ ઉંચાઇ પર આવી ગયું હતું. 150થી વધુ લોકોનો જીવ સંકટમાં હતો.
નતીજતન પાટલોટે મદદ માટે તાત્કાલિક નજીકના એર ટ્રાફિક કંટ્રોલરને અલર્ટ મોકલ્યું અને નજીકના સ્ટેશનોને ખતરાની સૂચના આપી. વિમાને ખતરામાં જોઇ એક પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર (ATC) તાત્કાલિક હરકતમાં આવ્યું અને તેને દુર્ઘટનાનો શિકાર થતા બચાવી લીધું.
પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે પાયલોટની ચેતવણી પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને આસપાસના ક્ષેત્રમાં વિમાનને બાકીની યાત્રા માટે પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં ખરાબ હવામાન વચ્ચે હવાઈ પરિવહને માર્ગદર્શન આપ્યું.
તમને જણાવી દઇએ કે ગુરૂવારે પાકિસ્તાનમાં હવામાન એટલું ખરાબ હતું કે તે દિવસ વીજળી પડવાથી 20 લોકોના મોત થઇ ગયા હતા.