ઇરાનના વિદેશ મંત્રી જાવદ જરીફના દિલ્હી હિંસા પર આપેલા નિવેદન દ્વારા પાકિસ્તાને એક વાર ફરી ભારત સરકારને ઘેરવાની કોશિશ કરી છે. નોંધનીય છે કે ઇરાનના વિદેશ મંત્રી જાવદ જરીફે ભારતમાં મુસ્લિમોની વિરુદ્ધ 'સુનિયોજિત હિંસા'નો આરોપ લગાવ્યો હતો જેને ભારતે ફગાવી દીધો હતો.
પાકિસ્તાનની એકવાર ફરી ભારત સરકારને ઘેરવાની કોશિશ
PAK ના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ઇરાનના નિવેદનનું સ્વાગત કર્યું
મુસ્લિમોની સુનિયોજિત હત્યા અમાનવીય છે : પાકિસ્તાન
ઇરાનના વિદેશ મંત્રીએ દિલ્હી હિંસાને લઇને ટ્વિટ કર્યું હતું, સદીઓથી ઇરાન ભારતનું મિત્ર રહ્યું છે. અમે ભારતીય અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને કાયદા વ્યવસ્થા લાગુ કરવામાં આવે. તેઓએ સ્થિતિને શાંતિપૂર્ણ વાર્તા દ્વારા સંભાળવાની વાત કહી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ઇરાનના નિવેદનનું સ્વાગત કર્યું છે. કુરૈશીએ કહ્યું, હું આરએસએસની ભીડ દ્વારા હિંસાનો ભોગ બની રહેલા ભારતીય મુસલમાનોની સુરક્ષાને લઇને પોતાના ભાઇ જાવદ જરીફની ચિંતાઓથી પૂર્ણ રીતે સહમત છું. ભારત ગંભીર સાંપ્રદાયિક હિંસાની પીડાથી પસાર થઇ રહ્યું છે. મુસ્લિમોની સુનિયોજિત હત્યા અમાનવીય છે અને આખા ક્ષેત્ર માટે ખતરો છે.
વિદેશ મંત્રાલયની તરફથી ઇરાની મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદન પર કડક વિરોધ દર્શાવાયો છે. રિપોર્ટ્સ મુજબ, મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયે ઇરાની રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ભારતનો આંતરીક મામલો છે. એવામાં કોઇ બહારના દેશના વિશે તથ્યોની જાણકારી રાખ્યા વિના ટિપ્પણી કરવી ઠીક નથી. વિદેશ મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં પોલીસે જલ્દી જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
ઇરાન ઉપરાંત તુર્કીએ પણ દિલ્હી હિંસાને લઇને ભડકાઉ નિવેદન આપ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ દેશોના સૌથી મોટા મંચ ઇસ્લામિક સહયોગ સંગઠને પણ દિલ્હી હિંસાની નિંદા કરી હતી.