નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપી ચેતવણી છે કે ખોટી રીતે સીમા ઓળંગીને ઘુષણખોરી કરવામાં ન આવે નહીં તો આકરો જવાબ મળશે. ભારતીય સેનાએ આધિકારીક રીતે સુંદરબની વિસ્તારમાં થયેલી ઘુષણખોરીનો મુદ્દો ઉઠાવ્યો. બે ઘુષણખોરોના મૃતદેહ લઇ જવા પાકિસ્તાનને સુચન કર્યું છે.
રવિવારે 5થી 6 લોકોએ પાકિસ્તાન તરફથી ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સામસામે ફાયરિંગમાં 3 જવાનો પણ શહીદ થયા હતા. હવે મંગળવારે પાકિસ્તાન સાથે DGMO સ્તરની વાત થશે. જેમાં પણ ભારત પેટ્રોલિંગ કરતા જવાનોને નિશાન ન બનાવવા અંગે પાકિસ્તાનને સુચન કરવામાં આવશે.
આ સાથે જ આતંકવાદીઓના લોન્ચીંગ પેડ અંગે પણ વાત થવાની સંભાવના છે. પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટ દ્વારા જવાનોના શવ સાથે કરવામાં આવતી બર્બરતાથી પણ ભારતીય સેના નારાજ છે.