સ્વાતંત્રતા દિવસે પણ પાકિસ્તાન પોતાની કરતૂતો દેખાડી રહ્યું છે. પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરમાં ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના ત્રણ જવાન ઠાર મરાયા છે.
જમ્મૂ કાશ્મીરના પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ સિવાય ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ પાકિસ્તાની જવાન માર્યા ગયા. ત્યારે સીઝફાયર ઉલ્લંઘનમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેના પર ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. આ પહેલા પણ પાકિસ્તાન અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.
માર્યા ગયેલા પાકિસ્તાની જવાનોના નામ નાઇક તનવીર, સેપોએ રમઝાન અને નાઈક તૈમૂર છે.
હાલમા જમ્મૂ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો. જ્યારબાદથી જમ્મૂ કાશ્મીરમાં સેના અલર્ટ પર છે. રિપોર્ટ્સ અનુસાર, જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી આતંકવાદીઓ દ્વારા હિંસા ફેલાવાની પણ શક્યતા છે.
ત્યારે ગુપ્ત સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કારણે પાકિસ્તાનથી ઘુષણખોરી વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા માટે પાકિસ્તાનની સેના ચોકીઓ પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. ત્યારે હાલમાં NSA અજીત ડોભાલે સુરક્ષા માટે સેના, સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસ સાથે બેઠક પણ કરી.