બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પાકિસ્તાને 3 કલાકમાં જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ગુજરાતમાં કર્યો ડ્રોન એટેક
Last Updated: 11:47 PM, 10 May 2025
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે અને તેની સાથે વ્યવહાર કરી રહી છે. અમારું માનવું છે કે, પાકિસ્તાને તેને યોગ્ય રીતે સમજવું જોઈએ અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
ADVERTISEMENT
પાકિસ્તાને યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ અંગે, વિદેશ મંત્રાલયે રાત્રે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે અને આ સરહદી અતિક્રમણનો સામનો કરી રહી છે. આ અતિક્રમણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમારું માનવું છે કે, પાકિસ્તાને તેને યોગ્ય રીતે સમજવું જોઈએ અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સેનાને નક્કર અને કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Indian Army's White Knight Corps tweets, "On noticing suspicious movement near the perimeter, alert sentry at Nagrota Military Station issued a challenge, leading to a brief exchange of fire with the suspect. Sentry sustained a minor injury. Search operations are underway to… https://t.co/pdnDl9t0oJ pic.twitter.com/SKFv9I3JoS
— ANI (@ANI) May 10, 2025
86 કલાક બાદ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક સુધી ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ બની હતી. પરંતુ આના માત્ર 3 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. શનિવારે રાત્રે પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોન પર વિસ્ફોટ થયો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ યુદ્ધ વિરામ નહી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે સાંજે 5 વાગ્યાથી બંને દેશો હવા, પાણી અને જમીન પર હુમલા તાત્કાલિક બંધ કરશે. આ સાથે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે. મિશ્રીએ કહ્યું કે 12 મેના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.