જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે મંગળવારે પાક રેંજર્સ તરફથી સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાને ફરી એક વાર છમકલુ કર્યું
અરણિયા સેક્ટરમાં બીએસએફના જવાનો પર કર્યું ફાયરિંગ
બીએસએફના જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ
આર્થિક સંકટ અને પુરની ત્રાસ્દી વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવામાં પાછી પાની કરતું નથી. પાકિસ્તાન તરફથી ભારતને અસ્થિર કરવાની સતત કોશિશ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે મંગળવારે પાક રેંજર્સ તરફથી સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જો કે, સતર્ક ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
Pak violates ceasefire along International Border in J&K, opens unprovoked firing on BSF troops: Officials
સીમા સુરક્ષા દળ જમ્મુના પીઆરઓએ જણાવ્યું છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું, સીમા સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આજે સવારે એલર્ટ બીએસએફ જમ્મુના જવાનોએ અરણિયા સેક્ટરમાં બીએસએફના દળ પર પાકિસ્તાની રેંજરો તરફથી કારણ વગરનું ફાયરિંગનો જવાબ આપ્યો હતો. જો કે, આ ફાયરિંગની ઘટનામાં બીએસએફના જવાનોને કોઈ નુકસાન કે ઘાયલ થવાના સમાચાર નથી.
ગત વર્ષે 25 ફેબ્રુઆરીએ થયો હતો કરાર
બીએસએફે નિવેદન જારી કરીને કહ્યું કે, 25 ફેબ્રુઆરી 2021ના રોજ બંને દેશ વચ્ચે સીઝફાયરને લઈને કરાર થયા હતા. પણ આજે પાકિસ્તાન તરફથી અરણિયા સેક્ટરમાં સીઝફાયર તોડવામાં આવ્યું, જેનો બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો છે.