ભારતની વિરુદ્ઘથી પાકિસ્તાનની સર્જકલી સ્ટ્રાઇકને લઇને ગીધડની ધમકીની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં બોર્ડર તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. રવિવારે LoC પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેનો ભારતીય સુરક્ષાદળોએ જોરદાર જવાબ આપ્યો છે.
પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લાના દિગવર સેકટરમાં ભારતીય ચોકીઓ પર ગોળીબારી શરૂ કરી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી નાના અને સ્વયંસંચાલિત હથિયારોથી ભારતીય ચોકીઓ પર ગોળીબારી શરૂ કરી.જેના પછી ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ હુમલામાં અત્યાર સુધી કોઇ સૈનિકને નુકસાન પહોંચવાની ખબર નથી.
આ પહેલા પાકિસ્તાની સેનાની તરફથી ભારતને સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ આપવાનો ધમકી આપવામાં આવી હતી. પાક સેનના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં ભારતનું વિરુદ્ઘ કહ્યુ કે ''ભારત જો પાકિસ્તાનની અંદર એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત કરશે તો જવાબમાં અમે તો અમે 10 સર્જિકલ સ્ટ્રાઈક કરીશું.'' એટલું જ ગફૂરે કહ્યુ કે જે લોકો કોઈ પણ પ્રકારની ખોટી હરકતને મહત્વ આપવા અંગે વિચારી રહ્યાં છે તેમના મગજમાં પાકિસ્તાનની ક્ષમતાઓ પર કોઈ શંકા ન હોવી જોઈએ." તમને જણાવી દઇએ કે આસિફ ગફૂરે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાની સાથે વિદેશ યાત્રા દરમિયાન આ વાત કરી હતી.
પ્રવક્તાના જણાવ્યા મુજબ 50 અબજ ડોલર (3.68 લાખ કરોડ રૂપિયા)ના ચીન-પાકિસ્તાન આર્થિક પાકિસ્તાની સેનાના સંરક્ષણમાં બની રહ્યું છે. આ પ્રોજેક્ટથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મજબૂત થશે. ગફૂરે કહ્યું કે સેના દેશમાં મજબૂત લોકતંત્ર ઈચ્છે છે. તેઓએ દાવો કર્યો કે જુલાઈમાં થયેલી સામાન્ય ચૂંટણી દેશના ઇતિહાસમાં સૌથી નિષ્પક્ષ ચૂંટણી હતી. જો કોઈની પાસે ગડબડના પુરાવા હોય તો તેને આગળ આવવું જોઈએ.ગફૂરે મીડિયા પર લગાવવામાં આવેલાં પ્રતિબંધને નકારતાં કહ્યું કે પાકિસ્તાનમાં દરેકને પોતાની વાત કહેવાનો પૂરો હક છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાનમાં માત્ર ખામીઓ જ નથી અહીં વિકાસ પણ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પાકિસ્તાનની સારી વાતોને પણ દેખાડવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ અંદાજ ત્યારે સામે આવ્યો જ્યારે તાજેતરમાં સયુંક્ત રાષ્ટ મહાસભાના 73માં સત્રને સંબોધિત કરતા ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમના પર સખ્ત વલણ અપનાવ્યું હતુ. સુષ્માએ સંબોધન કહ્યુ કે અમે પડોશી દેશની સામે આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે અને પાડોશી દેશ આતંકવાદને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પોતાની જમીન પર આંતકવાદીઓ હોવાની વાત નકારે છે.