ICJ એ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. સાથે જ જાધવને કાઉન્સિલર એક્સેસ પૂરું પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદથી હવે પાકિસ્તાન જાધવને કાઉન્સિલર એક્સેસ આપશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ICJના નિર્ણયને અનુસરતા અમે કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ પર વિયના કન્વેન્શન હેઠળ અધિકારોની જાણકારી આપી છે. પાકિસ્તાની કાયદા મુજબ કોન્સુલર એક્સેસ આપવામાં આવશે. જેના નિયમો મુજબ કામ કરવામાં આવશે.
Ministry of Foreign Affairs, Pakistan: Pursuant to decision of ICJ, #KulbushanJadhav has been informed of his rights under Vienna Convention on Consular Relations. Pakistan will grant consular access to him according to Pakistani laws, for which modalities are being worked out. pic.twitter.com/UmRjYQkgwp
આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવ મામલે જે નિર્ણય આપ્યો છે, એ સ્પષ્ટ રીતે ભારતની જીત છે. બુધવારે આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલ 16 જજોમાંથી 15 એ ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો. કોર્ટમાં માઊ પાકિસ્તાનના એક જજે ભારતની વિરુદ્ધ નિર્ણય આપ્યો હતો. તો બીજી બાજુ સરકારી સૂત્રો પણ કહી ચુક્યા છે કે પાકિસ્તાન આઇસીજેના આદેશોનું પાલન કરશે. નિર્ણય આપવાની સાથે જ કોર્ટે વિયના કન્વેન્શન પ્રમાણે કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની વાત કહી હતી.
બીજી બાજુ ભલે પાકિસ્તાન ICJ માં હારી ગયું હોય, પરંતુ એ હજી જીતનો દાવો કરી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે અમે કાયદાકીય રીતે કામ કરીશું, ગુરુવારે ઇમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું, 'ICJ ના નિર્ણયના વખાણ કરું છું કે કોર્ટે કુલભૂષણ જાધવને મુક્ત કરવા, છોડવા અને ભારત પરત મોકલવાનો નિર્ણય આપ્યો નથી. એ પાકિસ્તાનની જનતા વિરુદ્ધ ગુનાઓનો ગુનેગાર છે. આ મામલે પાકિસ્તાન કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરશે. '
Appreciate ICJ’s decision not to acquit, release & return Commander Kulbhushan Jadhav to India. He is guilty of crimes against the people of Pakistan. Pakistan shall proceed further as per law.
જણાવી દઈએ કે ભારતીય નૌસેનાના સેવા નિવૃત્ત અધિકારી જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં સુનાવણી બાદ જાસૂસી અને આતંકવાદના આરોપ લગાવીને ફાંસીની સજા સંભળાવી હતી.