પાકિસ્તાને મંગળવારે ભારતને પોતાની એરસ્પેસ બંધ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાની કરાચી એરસ્પેસને 31 ઓગસ્ટ સુધી આંશિક રીતે બંધ રાખવાની જાહેરાત કરી છે.
દોઢ મહિનો જ થયો હશે કે પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઇક પછી બંધ કરેલી પોતાની એરસ્પેસ ફરી ખોલી હતી. જોકે 138 દિવસો સુધી એરસ્પેસ બંધ રાખવાથી ભારતની સાથે સાથે પાકિસ્તાનને પણ આર્થિક નુકસાન થયુ હતુ. જાણીએ એરસ્પેસ બંધ થવાની કોણે લાગશે મોટો ઝટકો...
જોકે ગત વખતે કોણે, કેટલુ નુકસાન:
ગત 138 દિવસ સુધી એરસ્પેસ બંધ કરવાથી પાકિસ્તાને લગભગ 5 કરોડ ડૉલર ( લગભગ 360 કરોડ રૂપિયા)નું નુકસાન થયુ હતુ. આ નુકસાન ઑવરફ્લાઇંગ ચાર્જના રૂપમાં થયુ. તો એકલા Air India ને 560 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવો પડ્યો હતો. આ સિવાય Indigo, Spicejet અને GoAir ને પણ 60 કરોડનું નુકસાન થયુ હતુ.
દરરોજની 400 ફ્લાઇટ પર અસર:
બાલાકોટમાં આંતકી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલા પછી પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી દીધી હતી. એર સ્પેસ બંધ થવાથી પ્રતિદિવસ 400 ઉડાનો પર અસર થઇ હતી. એરસ્પેસ બંધ થયા પછી મોટે ભાગે વિમાનોને ઓમાનના રસ્તાથી જવુ પડ્યુ હતુ, જ્યારે પહેલાથી વ્યસ્ત ઇરાન કોરિડોરમાં 100 થી વધારે ઉડાનો વધી ગઇ હતી.
લંડનથી સિંગાપુરનુ ડિસ્ટન્સ 451 KM વધી ગયું:
ઓમાના રૂટ પર ઉડાન ભરનારી ભારતીય એરલાઇન્સ માટે લંડનથી સિંગાપુર વચ્ચેની દૂરી 451 કિલોમીટર વધી ગઇ હતી. જો આ વખતે પણ પાકિસ્તાન પોતાની એરસ્પેસ બંધ કરી દેશે તો આ વખતે પણ સ્થિતિ બાલાકોડ હુમલા જેવુ જ થશે.
વધી જશે સંચાલન ખર્ચ:
પાકિસ્તાન એરસ્પેસ બંધ કરે તો ભારતથી દક્ષિણ એશિયા અને યૂરોપના વિભિન્ન ભાગમાં આવવા-જવાના વિમાનનો લાંબા રૂટ પડી શતે. પાકિસ્તાનની જગ્યાએ મુંબઇ-અરબ સાગર-મસ્કટ-ખાડીના રૂટ અને બીજો રૂટ લેવો પડે છે. આ કારણથી પૂર્વી તટથી ઉડાન ભરનારા વિમાનોને અમેરિકા જવાનો સમય વધી જશે અને ઇંધણ ભરાવવા માટે વધારો સ્ટોપેજ લેવાની જરૂર પડશે. વિમાનન કંપનીઓને ખર્ચો વધી જશે. આ માટે કંપની અમુક રૂટની ઉડાનો બંધ કરી દે છે.
પાકિસ્તાનના પ્રતિંબધને પહોંચી વળવા માટે તૈયાર છે ભારત:
Air India ના પાયલટ અનુસાર, ''અમે 5 ઓગસ્ટ (આર્ટિકલ 370 હટાવ્યા ) પછી તૈયાર છે. અમે જૂની રણનીતિ જ અપનાવીશું.'' જોકે સરકારને આ પ્લાન લાગૂ કરવા માટે વધારે Air Indiaને વધારે ખર્ચ ઉઠાવવા પડે છે. ધ્યાન રહે કે તેલ કંપનીઓ ભાગ ના મળવાને કારણે ગત અઠવાડિયે 6 એરપોટ્સ પર Air India ને ઇંધણ આપવાનું બંધ કરી દીધુ. ભારતની સૌથી મોટી એરલાઇન કંપની Air India પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.