ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે રાપરમાં સભા યોજાઇ હતી. જ્યારબાદ વિશ્વ સનાતન ઓલઇન્ડિયાના રાષ્ટ્રીય મહા સચવ ઉપદેશ રાણાને પાકિસ્તાનના નંબર પરથી ધમકી મળવાની ફરિયાદ તેમણે આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
'પાકિસ્તાનથી છોકરા નિકળી ચૂક્યા છે, ઉપદેશ રાણા તારો બહુ જલદી ખાતમો કરી દેવામાં આવશે'
આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
+92335852542... આ નંબર પરથી ફોન આવ્યોઃ ઉપદેશ રાણા
યુવા હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે જાનથી મારવાની ધમકી ભારતથી નહીં પરંતુ આતંકવાદી દેશ પાકિસ્તાનથી આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ ઉપદેશ રાણાએ આપી છે.
ઉપદેશ રાણાએ જણાવ્યું કે, +92335852542... આ નંબર પરથી મારા પર ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે પાકિસ્તાનથી છોકરા નિકળી ચૂક્યા છે, ઉપદેશ રાણા તારો બહુ જલદી ખાતમો કરી દેવામાં આવશે.
મહત્વનું છે કે ઉપદેશ રાણાએ આ મામલે ગુજરાત પોલીસને જાણ કરી છે. ગુજરાત પોલીસે મામલાને ગંભીરતાથી લેતા તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે, ઉપદેશ રાણા કટ્ટર હિન્દુવાદી છાપના યુવા ઉભરતા નેતા છે. સોશિયલ મીડિયા અને જમીની સ્તરે તેમની સારી પકડ છે. દેશના દરેક રાજ્યમાં ઉપદેશ રાણાના કાર્યક્રમ સતત ચાલતા રહે છે. જેને લઇને તેમની સુરક્ષા માટે પોલીસે કદમ ઉઠાવવા જોઇએ.