પાકિસ્તાનમાં ચાર ચીની એન્જીન્યર અને સૈનિકો સાથે બસમાં IED વિસ્ફોટ થતા આઠ લોકોના મોત થયા હોવાના સમાચાર આવ્યા છે.
સૈનિકોને લઇ જતી બસમાં IED વિસ્ફોટ
ચાર ચીની એન્જીનીયરના મોત થયાં હોવાના સમાચાર
કુલ આઠ લોકોના મોત,અનેક ઘાયલ
પાકિસ્તાનના મોટા પાયે થયેલ આતંકી હુમલામાં ચાર ચીની એન્જીનીયરના મોત થયા છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બસમાં IED બ્લાસ્ટ
મળતી વિગતો અનુસાર બસ દ્સુ બંધ નજીક કામ કરતા એન્જીનીયરો ને લઈને જઈ રહી હતી. બસમાં કુલ ૩૦ એન્જીનીયર સવાર હતા અને પાકિસ્તાની સૈનીકો બસની સુરક્ષા માટે તૈનાત હતા. અચાનક હુમલો થવાથી આઠ લોકોના મૃત્યુ થયાં છે તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં પણ આતંકી હુમલો
આ પહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાની સેના પર થયેલા આ હુમલામાં ૧૨ જવાનોના મોત થયા હતા જયારે ૧૫ જવાન ઘાયલ થયા હતા. મૃતકોમાં સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત પણ સામેલ હતા. આ હુમલો હંગુ નામના વિસ્તાર નજીક થયો હતો.
તહરીક-એ-તાલીબાનનો હાથ હોવાની આશંકા
આ હુમલા પાછળ પાકિસ્તાની સંગઠન તહરીક-એ-તાલીબાન (TTP) નો હાથ હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાની સેના દ્વારા તહરીક-એ-તાલીબાન વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર ઘાયલોને દાસુના ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.