ભારત-પાકિસ્તાન વચ્ચે એર સ્ટ્રાઇક બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સમજોતા એકસપ્રેસ રદ્દ કરી દીધી છે. આ ટ્રેન લાહોરથી અટારી વચ્ચે ચાલે છે. જ્યારે બીજી તરફ ભારતના કડક એકશનથી પાકિસ્તાન ડરી ગયું છે. એકતરફ પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીર સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાત સરહદ પર તણાવની પરિસ્થિતિ ઉભુ કરી રહ્યું છે.
એક મળતાં અહેવાલ મુજબ કચ્છ પાસે સમુદ્રી સરહદ પર હથિયાર-આર્મી મુકવાની શરૂઆત કરી છે. પાકિસાતને પોતાના માછીમારોને સમુદ્ર વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ પાકિસ્તાને ડોલ્ફિન કમાન્ડોને પણ સ્ટેન્ડ બાય કર્યાં છે.
ગુજરાતમાં હાઇએલર્ટના પગલે કચ્ચના અનેક વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કચ્છના સરહદી વિસ્તાર વિદ્યાકોટ, ખાવડા, કાળો ડુંગર સહિતના વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે.
પાકિસ્તાન સિંઘ પ્રાંત નજીકના બોર્ડર વિસ્તારમાં સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. જ્યારે કાળા ડુંગર પર એર સર્વેલન્સ ટાવર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં હેલ્પ લાઇન નંબર શરૂ કરાયા છે. જ્યારે સરહદ પરના તણાવ વચ્ચે પાકિસ્તાને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાનની ઉડાન રદ્દ કરી દીધી છે.