પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે મંગલવારે જનરલ બાજવાના કાર્યકાળના વિસ્તારની અધિસૂચનાને કાલસુધી ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જનરલ બાજવા સહિત બધા પક્ષોને નોટિસ જારી કરી છે. જનરલ બાજવા 29 નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે. હવે આ મામલાની સુનાવણી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
પાક. SCએ કોર્ટે આર્મી ચીફ બાજવાના એક્સટેન્શન પર રોક
9 નવેમ્બરના બાજવાનો કાર્યકાળ થઇ રહ્યો હતો પૂર્ણ
માત્ર રાષ્ટ્રપતિની મંજૂરીથી જ આ નિર્ણય થઇ શકે: પાક. SC
પાકિસ્તાન સેના પ્રમુખ જાવેદ બાજવાના કાર્યકાળને વધારવાને લઇને સરકાર તરફથી કરવામાં આવેલી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ (CJP) આસિફ સઇદ ખોસાની ખંડપીઠવાળી 3 સભ્યોની બેંચે સરકારી અધિસૂચનાને સસ્પેન્ડ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે સેના પ્રમુખ સહિત બધા પક્ષોને નોટિસ જારી કરી અને સુનાવણીને આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રીના અધિકાર પર સવાલ
કોર્ટે ચીફ ઓફ આર્મી સ્ટોફ (COAS) ના 3 વર્ષના કાર્યકાળ વિસ્તારને મંજૂરી આપવાના પ્રધાનમંત્રીના અધિકાર પર સવાલ ઉઠાવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ માત્ર અધિસૂચના જારી કરી શકે છે.
ઓગસ્ટ 2019 દરમિયાન, પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ અંગે મંજૂરી આપતા અધિસૂચનાને રાષ્ટ્રપતિ પાસે મોકલ્યું હતું, જેને રાષ્ટ્રપતિ ડોકટર આરીફ અલ્વીએ પોતાની મંજૂરી આપી દીધી. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે કોઇનો પણ કાર્યકાળ વિસ્તાર વધારાની અધિસૂચના COASના વર્તમાન કાર્યકાળને પૂરો થયા બાદ જ જારી કરી શકાય છે, જે 28 નવેમ્બર 2019ને સમાપ્ત થઇ રહ્યો છે.