ભારતમાં એક વખત ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવાનો રસ્તો સાફ થવાની વચ્ચે પાકિસ્તાને જ્યાં એક બાજુ ફરીથી શાંતિ વાર્તાનો પ્રસ્તાવ આપ્યો છે, તો બીજી બાજુ શાહીન 2 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.
ભારતમાં એક વખત ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવાનો રસ્તો સાફ થવાની વચ્ચે પાકિસ્તાને જ્યાં એક બાજુ ફરીથી શાંતિ વાર્તાનો પ્રસ્તાવ આપ્યો છે, તો બીજી બાજુ શાહીન 2 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.
મિસાઇલનું પરીક્ષણ કરીને પાકિસ્તાને ભારતને એક તરફથી ચેતવણી પણ આપી દીધી છે. પાકિસ્તાને કહ્યું છે કે આ એક પ્રકારે જમીન થી જમીનને નાશ કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે, જ 1500 મીલ સુધીના એરિયાને કવર કરી શકે છે. આ મિસાઇલ દ્વારા પરમાણુ અને પારંપારિક હથિયાર પણ નાંખવામાં આવી શકે છેય
પાકિસ્તાનની સેનાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે આ મિસાઇલ એમની જરૂરીયાતોને પૂરી કરે છે, કારણ કે ક્ષેત્રમાં કોઇ એમની તરફ આંખ ઊઠાવીને જોવે નહીં અને શહેરમાં શાંતિ રહે. પાકિસ્તાનના સેના પ્રવક્તાએ કહ્યું છે કે આ મિસાઇલનો ઇમ્પેક્ટન પોઇન્ટ અરબ સાગરમાં હતો.
બાલાકોટમાં આતંકી જૂથ જેશ-એ-મોહમ્મદના અડ્ડા પર કરવામાં આવેલી વાયુસેનાના એર સ્ટ્રાઇકના ડરથી પાકિસ્તાન હજુ બહાર આવ્યું નથી. એર સ્ટ્રાઇકના 75 દિવસ બાદ પણ એને પોતાના એફ 18 લડાકૂ વિમાનોની સુરક્ષાની ચિંતા હેરાન થઇ રહી છે.
27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાન ભારતીય સીમામાં આવ્યા હતા. જેના જવાબમાં ભારતે પાકિસ્તાનના એફ 16 લડાકૂ વિમાનનો નાશ કર્યો હતો.
એક સમયે ભારતે પાકિસ્તાનના છ મિસાઇલનો નાશ કરવાની ધમકી આપી હતી, એની પર અલ્હાબાદે કહ્યું હતું કે એ ભારતની મિસાઇલનો જવાબ ત્રણ મિસાઇલથી આપશે.