કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે ટપાલ મેલ સેવા બંધ કરી છે. પ્રસાદે સાથે કહ્યું કે પાકિસ્તાનનું ટપાલ મેલ સેવા બંધ કરવાનો એક તરફી નિર્ણય આંતરરાષ્ટ્રીય નિયમોનું સીધુ ઉલ્લંઘન છે. એમણે કહ્યું કે પાકિસ્તાને આ નિર્ણય ભારતને નોટિસ આપ્યા વિના લીધો છે.
પાકિસ્તાને ભારત સાથે ટપાલ મેલ સેવા બંધ કરી
રવિશકંર પ્રસાદે કહ્યું- ટપાલ મેલ સેવા બંધ કરવી પાક.નો એક તરફી નિર્ણય
કેન્દ્રીય મંત્રીએ આ જાણકારી દિલ્હીમાં એક સમારોહ દરમિયાન આપી
કેન્દ્રીય મંત્રીએ આ જાણકારી દિલ્હીમાં એક સમારોહ દરમિયાન આપી. જ્યારે પાકિસ્તાનને વૈશ્વિક આંતકવાદનું કેન્દ્ર બતાવતા ભાજપા મહાસચિવ રામ માધવે સોમવારે કહ્યું કે ભારતનો પાડોશી હવે માત્ર તેની સમસ્યા નથી પરંતુ વૈશ્વિક પડકાર બની ગયો છે.
અમેરિકા-ભારત સામરિક સંબંધ ફોરમ દ્વારા આયોજિત સન્મેલનને સંબોધિત કરી રહેલા માધવે કહ્યું, 'આજે આપણે એવા સમયથી પસાર થઇ રહ્યા છે જ્યારે પાકિસ્તાનને હવે માત્ર ભારત જ મુશ્કેલ સંબંધોની રીતે નથી જોતું. દુનિયાના ઘણા દેશ પાકિસ્તાનને એવી ચિંતાના મુદ્દા તરીકે જોઇ રહ્યું છે જ્યાં ખાસ કરીને પાક.માં આતંકી ઢાચા વિશે વાત થઇ રહી છે.'
માધવે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારતને પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ આજે કોઇ એવુ કરી રહ્યું નથી. કેમકે પાકિસ્તાન વૈશ્વિક આંતકવાદનું કેન્દ્ર બની ગયો છે.