ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટતાની સાથે એક મહિનાથી બંધ પડેલી ટમેટાની નિકાસ ફરી શરૂ કરવામાં આવી છે. જોકે, જે રૂટથી પહેલા ટમેટા મોકલવામાં આવતા હતા તે રૂટ બંધ કરતા પાકિસ્તાનને ટમેટા મોંઘા પડી રહ્યા છે. હાલ શ્રીનગર-મુઝફ્ફરાબાદ માર્ગથી ટમેટા મોકલવામાં આવી રહ્યા છે. જેનો ખર્ચ અટારી રૂટની સરખામણીએ બેથી ચાર ગણો વધારો થયો છે.
પાકિસ્તાનને ટમેટાનું સપ્લાય કરતા સૌથી મોટા કેન્દ્ર આઝાદપુરમાં ટમેટાના વેપારી સંઘના પ્રેસિડન્ટ અશોક કૌશિકે કહ્યું કે, તણાવ ઘટતા ટમેટાની સપ્લાય શરૂ થઈ છે. હાલ શ્રીનગર-મુઝફ્ફરાબાદ રસ્તેથી રોજ 15થી 20 જેટલા ટ્રક ભરીને ટમેટા આવી રહ્યા છે. અગાઉ પાકિસ્તાનમાં રોજ 75થી 100 ટ્રક ભરીને ટમેટાની સપ્લાય કરવામાં આવતી હતી. અગાઉ અટારી રૂટથી ટમેટા મોકલાવાનો ખર્ચ માત્ર રૂપિયા 25 હજાર પ્રતિ ટ્રક થયો હતો.
પણ હવે શ્રીનગરના રસ્તે ટમેટા આવતા રૂપિયા પચાસ હજારથી રૂપિયા એક લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે. કાશ્મીરમાં એન્ટ્રી થતા વધારનો ચાર્જ લાગે છે. પરંતુ અનેક ગેરકાયદે વસૂલીના કારણે ખર્ચ વધી રહ્યો છે. સપ્લાય શરૂ થઈ છે પણ તેને વધુ ફાયદો વચેટિયાઓને મળી રહ્યો છે.