પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીડે શુક્રવારે શ્રીલંકાના એક નાગરિકની કથિત રીતે ધાર્મિક નિંદાના આરોપમાં ઠોર માર મારીને તેની હત્યા કરી દીધી. એ બાદ તેની લાશને સળગાવી દીધી. પંજાબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અહીંથી ગરીબ સૌ કિલોમીટર દૂર સિયોલકોટ (Sialkot) જિલ્લાની એક કપડાની ફેક્ટરીમાં પ્રિયંથા કુમારા મેનેજર તરીકે કામ કરતા હતા.
પ્રિયંથા કુમારા ટીએલપીના એક પોસ્ટરને કથિત રીતે ફાડી નાંખ્યું હતુ
અધિકારીએ પીટીઆઈ -ભાષાએ જણાવ્યું, કુમારાએ કટ્ટરપંથી તહરીક -એ- લબ્બેક પાકિસ્તાન(ટીએલપી)ના એક પોસ્ટરને કથિત રીતે ફાડી નાંખ્યું હતુ. જેમાં કુરાનની આયાતો લખી હતી અને બાદમાં તેને કચ્ચરામાં ફેંકી દીધી હતી. ઈસ્લામી પાર્ટીના પોસ્ટર કુમારાના કાર્યાલયની પાસેની દિવાલ પર ચોટાડવામાં આવી. ફેક્ટરીના કેટલાક કર્મીઓએ તેઓ પોસ્ટરને હટાવતા જોવા મળ્યા અને ફેક્ટરીમાં આ વાત જણાવી.
પોલીસના પહોંચતા પહેલા તેની લાશને સળગાવી નાંખવામાં આવી
ઈશ્વરની નિંદાની ઘટનાને લઈને આસપાસના સેંકડો લોકો ફેક્ટરીની બહાર ભેગા થવા લાગ્યા. જમાં મોટાભાગના ટીએલપીના કાર્યકર્તા તથા સમર્થક હતા. ભીડે શંકાસ્પદને ફેક્ટરીની બહાર ખેંચ્યો અને તેને ખરાબ રીતે માર્યો. મારપીટ બાદ તેનું મોત થયું. તેમજ પોલીસના પહોંચતા પહેલા તેની લાશને સળગાવી નાંખવામાં આવી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જારી થયો. જેમાં જોવા મળી રહ્યું છે કે શ્રીલંકાઈ નાગરિકની લાશને સેંકડો લોકોએ ઘેરી લીધી છે. તેઓ ટીએલપીના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વીડિયો ફુટેજના માધ્યમથી 100 શંકાસ્પદ વસ્તુઓની ઓળખ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.