સુરતમાં એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ, નહીં તો કોઈ પણ તેને બરબાદ થતાં રોકી શકશે નહીં. રાજનાથ સિંહે કહ્યું કે ભારતમાં અલ્પસંખ્યક સુરક્ષિત હતા, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. ભારત જાતિ કે ધર્મના આધારે લોકોને વિભાજિત કરતું નથી.
પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએઃ રાજનાથ સિંહ
ભારત જાતિ કે ધર્મ પર લોકોને વિભાજિત કરતું નથીઃ રક્ષામંત્રી
ભારતમાં અલ્પસંખ્યક સુરક્ષિત હતા, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશેઃ રાજનાથ
આઝાદી પછી ભારતમાં અલ્પસંખ્યકોની સંખ્યા વધી છે જ્યારે પાકિસ્તાનમાં ઘટી છેઃ રક્ષામંત્રી
આતંકવાદના મુદ્દા પર રક્ષામંત્રી રાજનાથ સિંહે એક વાર ફરી પાકિસ્તાનને આડે હાથે લીધું છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ. નહીં તો કોઈ પણ તેના ટુકડા ટુકડા થવાથી રોકી શકશે નહીં. રાજનાથ સિંહે કહ્યું કે ભારતમાં અલ્પસંખ્યક સુરક્ષિત હતા, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. ભારત જાતિ કે ધર્મના આધારે લોકોને વિભાજિત કરતું નથી.
રાજનાથ સિંહે કહ્યું કે આર્ટિકલ 370ને રદ કરવા માટેના ભારતના નિર્ણયને પાકિસ્તાન પચાવી શકતું નથી. પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રમાં ગયું અને તેમને પણ વાતમાં ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી.
#WATCH Defence Minister Rajnath Singh: India was divided into two parts on the basis of religion- India & Pakistan were formed. Pakistan was again partitioned in 1971. If this politics continues, no power can stop Pakistan from being broken into pieces. pic.twitter.com/EsnNnYaq6d
દેશની સીમા પર ફરજ બજાવી રહેલા 122 શહીદ સૈનિકોની યાદમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાનની તરફથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કરવામાં આવશે તો અમારી સેના પણ તૈયાર જ છે. કોઈ પણ ઘૂસણખોર પાછો જઈ શકશે નહીં.
તેઓએ કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાના લોકોને સલાહ આપી છે કે તેઓએ લાઈન ઓફ કંટ્રોલને પસાર કરવી નહીં કારણ કે અમારી સેના તૈયાર છે. જો તેઓ સીમા પાર કરીને આવ્યા તો તેઓ પાછા જઈ શકશે નહીં. મુઝફ્ફરાબાદમાં ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનના લોકોને આગ્રહ છે કે તેમની પરમિશન વિના કોઈ પણ વ્યક્તિ એલઓસી તરફ ન જાય.
રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરથી 370 હટાવવાને લઈને ભારતના નિર્ણયને પચાવી શકી નથી અને અન્ય દેશોને પણ ગેરમાર્ગે દોરીને વાતને યૂએન સુધી લઈ ગયા હતા. ભારતના અલ્પસંખ્યકોની આબાદી આઝાદી પછી વધી છે અને પાકિસ્તાનમાં શીખ, બોદ્ધ અને અન્ય લોકોની વિરુદ્ધમાં અધિકારોનું ઉલ્લંઘન થતું રહ્યું છે.
તેઓએ કહ્યું કે પાકિસ્તાનને વિભાજિત કરવાની આવશ્યકતા નથી તે પોતે જ તૂટી જશે. પાકિસ્તાને આતંકવાદનું સમર્થન બંધ કરી દેવું જોઈએ. નહીં તો તેને તૂટવાથી કોઈ પણ રોકી શકશે નહીં. રક્ષામંત્રીએ મારુતિ વીર જવાન ટ્રંપની તરફથી 122 શહીદ જવાનોના પરિજનોને અઢા લાખ રૂપિયાની સહાયતા આપવાની વાત પણ કહી હતી.