પાકિસ્તાને પુલવામાં જિલ્લામાં આંતકી હુમલાની આશંકાને લઇને ભારતને સાવચેત રહેવા જણાવ્યું છે. આ હુમલો અવંતિપોરામાં થઇ શકે છે. શ્રીનગરના એક ટોચના સુરક્ષા અધિકારીએ 'ધ સન્ડે' સાથેની વાતચીતમાં આ અંગે પુષ્ટી કરી છે.
આપને જણાવી કે, આ પહેલા બિશ્કેકમાં થયેલી એસસીઓ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને કહ્યું હતું કે, વાતચીત પહેલા પાકિસ્તાને 'આતંકવાદ રહિત' માહોલ બનાવવો પડશે. જોકે, પીએમે કહ્યું હતું કે હાલ પાકિસ્તાન તરફથી એવુ બનતું લાગી રહ્યું નથી. વડાપ્રધાન નરેદ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન સામે શાંતિની પહેલ કરી પરંતુ તેના પ્રયાસ યોગ્ય ન રહ્યા.
આંતકી હુમલાને લઇને આ એલર્ટ બે દિવસ પહેલા જ આવ્યું છે. આ બાદ આખા જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી જવા પામ્યો છે. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે, આંતકવાદી કોઇ વાહન પર આઇઇડી (ઇમ્પ્રોવાઇજ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) લગાવીને વિસ્ફોટ કરી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, 'પાકિસ્તાનીઓએ સંભવિત હુમલાની જાણકારી ઇસ્લામાબાદ સ્થિત અમારા હાઇ કમીશન સમક્ષ કરી છે.
આ સૂચના અમેરિકી અધિકારીઓએ પણ કહી છે. એમણે પણ આ વિશે જાણકારી આપી છે. અધિકારી અનુસાર, પાકિસ્તાની બતાવી રહ્યા છે કે હુમલાની યોજના જાકિર મૂસાની મોતનો બદલો લેવા બનાવવામાં આવી રહી છે. આપને જણાવીએ કે, કુખ્યાત આતંકી જાકિર મુસા ગત મહીને ત્રાલમાં સુરક્ષાબળો સાથેના ઘર્ષણમાં માર્યો ગયો હતો.
આ પહેલા 14 ફેબ્રુઆરીએ પુલવામાં જિલ્લામાં એક ફિદાયીન કાર હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલો લેથપોરા હાઇવે પર થયો હતો.