પાકિસ્તાનના કરાંચીમાં બુધવારે કાઢવામાં આવેલી કરાંચી રેલી પર ગ્રેનેડ હુમલો કરાયો હતો. તેમાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ રેલી કાઢવામાં આવી હતી. 5 ઓગસ્ટે પહેલી વર્ષગાંઠ હતી તેના વિરોધમાં કરાંચીમાં આ રેલી કાઢવામાં આવી હતી.
પાકિસ્તાનના કરાંચીમાં ગ્રેનેડ હુમલો
કાશ્મીર રેલી પર કરાયો ગ્રેનેડથી હુમલો
હુમલામાં 30 લોકો થયા ઘાયલ
ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોને અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેમાંથી 1ની સ્થિતિ ગંભીર છે. કરાંચીના સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી છે. કરાંચી પોલિસ પ્રમુખ ગુલામ નબી મેનને કહ્યું છે કે રેલી પર ગ્રેનેડથી હુમલો કરાયો છે જેને પગલે અનકે લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી નામના સંગઠને લીધી છે. આ એક અલગાવવાદી સંગઠન છે જે છેલ્લા કેટલાક મહિનાથી સક્રિય થયું છે.
પહેલાં જૂન મહિનામાં પણ થયા હતા 3 વિસ્ફોટ
જૂન મહિનામાં આ વિસ્તારમાં 3 વિસ્ફોટ થયા હતા, તેની જવાબદારી એસઆરએએ લીધી હતી. તેમાં 4 લોકોના જીવ ગયા હતા . આ 4માંથી 2 જવાન હતા અને તે પણ શહીદ થયા હતા. સંગઠનની માંગ છે કે સિંઘ પ્રાંતને કરાંચીથી અલગ કરી દેવામાં આવે. આ પ્રાંતની રાજધાની કરાંચી છે. એસઆરએએ બલૂચિસ્તાન લિબરેશન આર્મીથી પણ ગઠબંધનની જાહેરાત કરી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી એક ઉગ્રવાદી સંગઠન છે જે દક્ષિણમ પશ્ચિમી પાકિસ્તાનમાં બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરે છે.
રેલી પર ગ્રેનેડ હુમલો ત્યારે થયો જ્યારે આખું પાકિસ્તાન કાશ્મીરને લઈને રેલી કાઢી રહ્યું હતું. કરાંચી રેલીને જમાત-એ- ઈસ્લામીએ આયોજિત કરી હતી. હુમલા બાદ રેલી રોકી દેવામાં આવી હતી. ગયા વર્ષે ભારત સરકારે જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને પાછું લીધું હતું. સરકારની કલમ 370ને ખતમ કરવાની સાથે જમ્મૂ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.