કરતારપુર કૉરિડોરના સંચાલન માટે પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવોનો વિરોધ કરતાં પોતાની ઘણી શરતો અને નિયમો નક્કી કરી દીધા છે. ભારતનો પ્રસ્તાવ છે કે સિખોના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક કરતારપુર કૉરિડોરને આખું વર્ષ ખોલવામાં આવે કારણ કે તીર્થયાત્રીઓને સુવિધા મળે. પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
કરતારપુર કોરિડોર મામલે ભારતે પાકિસ્તાને સમક્ષ કેટલાક પ્રસ્તાવ મુક્યા હતા. પણ પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવને નકાર્યા છે અને શરત મુકી છે. ભારતે પ્રસ્તાવ મુક્યો હતો કે કરતારપુર કોરિડોરને આખા વર્ષ દરમિયાન ખુલ્લુ મુકવામાં આવે. જેથી કરીને તીર્થયાત્રીઓને સરળતા રહે. પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવને નકાર્યો છે અને મનમાની કરી છે. પાકિસ્તાને કહ્યું કે, માત્ર 700 જ તીર્થયાત્રીઓ કરતારપુર સ્થિત ગુરૂદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકશે.
એટલું જ નહીં પાકિસ્તાનનું કહેવું છે કે તીર્થયાત્રીઓએ કરતારપુર સ્પેશિયલ પરમિટ સિસ્ટમ હેઠળ જ આવવાનું જ રહેશે. ઉપરાંત યાત્રીઓએ ટેક્સ પણ ચુકવવો પડશે. ભારતે એવો પણ પ્રસ્તાવ મુક્યો હતો કે તીર્થયાત્રીઓ માટે કોઈ પણ પ્રકારનો વીઝા કે કોઈ પણ પ્રકારનો ટેક્સ ના હોય. ભારતીય નાગરિકો સિવાય પ્રવાસી ભારતીયોને પણ કરતારપુર કોરિડોરની તીર્થયાત્રી કરવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવને પણ નકાર્યો અને કહ્યું કે, માત્ર ભારતીય નાગરિકોને જ તીર્થયાત્રી કરવાની મંજૂરી મળશે.
ભારતનું કહેવું હતું કે દરરોજ 5 હજાર લોકોને તીર્થયાત્રાની પરવાનગી આપવામાં આવે પરંતુ પાકિસ્તાને કહ્યું કે 700 થી વધારે તીર્થયાત્રીઓને પરવાનગી આપવામાં આવશે નહીં. ભારતે એવો પણ પ્રસ્તાવ મુક્યો હતો કે ખાસ દિવસોમાં 10 હજાર લોકોને દર્શનની મંજૂરી આપવામાં આવે. ભારતે કહ્યું કે વ્યક્તિ એકલો હોય કે સમૂહમાં હોય એને આવવાની પરવાનગી મળવી જોઇએ, પરંતુ પાકિસ્તાને કહ્યું કે 15 લોકોના સમૂહને આવવાની પરવાનગી આપવામાં આવશે.
રાવી નદી પર પુલ નિર્માણના ભારતના પ્રસ્તાવ પર પણ પાકિસ્તાને ના પાડી દીધી, આ ઉપરાંત કરતારપુર સાહિબ કૉરિડોરમાં તીર્થયાત્રીઓના પગપાળા પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.