પાકિસ્તાને કરતારપુર કોરિડોરનો અંતિમ ડ્રાફ્ડ ભારતને મોકલ્યો છે. પાકિસ્તાન ભારતીય શીખ યાત્રાળુઓથી 3120 પાકિસ્તાની રૂપિયા (20 ડોલર) લેવા પર અડગ છે. ડ્રાફ્ટ મુજબ, દરેક યાત્રાળુ વિના કોઇ પ્રતિબંધે કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરી શકે છે.
ભારત 10 પહેલા તીર્થ યાત્રાળુઓની એક સૂચી પાકિસ્તાનને આપશે
તમામ યાત્રાળુઓને ઝીરો પોઇન્ટ પર પરિવહનની સુવિધા અપાશે
પાકિસ્તાન તરફથી કરતારુપુર કોરિડોર ખોલવાની તારીખની નથી કરાઇ જાહેરાત
ભારત ઓછામાં ઓછા 10 દિવસ પહેલા તીર્થયાત્રાળુઓની એક સૂચી પાકિસ્તાનને આપશે. પાકિસ્તાન તેના પર 4 દિવસમાં જવાબ આપશે. કરતારપુર સાહિબ જતા તમામ શ્રદ્ધાળુઓને ઝીરો પોઇન્ટ પર પરિવહનની સુવિધા આપવામાં આવશે. જોકે, પાકિસ્તાન તરફથી હજુ કરતારુપુર કોરિડોર ખોલવાની તારીખની સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જોકે, અનુમાન લગાવાઇ રહ્યું છે કે તે 9 નવેમ્બરે ખોલવામાં આવશે.
શ્રદ્ધાળુઓનો જત્થો નવેમ્બરના પહેલા સપ્તાહથી પાકિસ્તાન પહોંચવા લાગશે. શીખ તીર્થયાત્રાળુઓ માટે વિશેષ ટ્રેનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભારતથી જઇ રહેલા શીખ શ્રદ્ધાળુ અટારી રેલવે સ્ટેશનથી ચાલીને વાઘા રેલવે સ્ટેશન પહોંચશે અને ત્યારબાદ નનકાના સાહિબ માટે પોતાની યાત્રા શરૂ કરશે.
ભારત ઉપરાંત કેનાડા, બ્રિટેન સહિત દુનિયાના અલલ-અલગ દેશોથી તીર્થ યાત્રાળુના પાકિસ્તાન પહોંચવાની આશા છે. વિદેશમાં વસતા શીખ શ્રદ્ધાળુઓ વાઘા બોર્ડરના રસ્તે જ પાકિસ્તાન જશે.
મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓના નનકાના સાહિબ પહોંચવાની આશાથી પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. યાત્રાળુઓની સુવિધા માટે વાઘા બોર્ડર પર કસ્ટમ વિભાગના એકસ્ટ્રા કાઉન્ડર પણ ખોલવામાં આવશે.